ગુજરાત

gujarat

ETV Bharat / state

એકતા દિનની ઉજવણીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં CEOએ યોજી પ્રેસ કોન્ફરન્સ - સ્ટેચ્યુના ઓફ યુનિટી ન્યુઝ

નર્મદાઃ 31 ઓક્ટોબર એકતા દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાં આખો દિવસ વિતાવશે. પ્રવાસીઓ માટે આ દિવસે રજા રાખવામાં આવશે, જે અંગે સ્ટેચ્યુના CEO આઈ.કે.પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જરૂરી માહિતી આપી હતી.

એકતા દિનની ઉજવણીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં CEOએ યોજી પ્રેસ કોન્ફરન્સ

By

Published : Oct 30, 2019, 3:12 PM IST

  • નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.30 કલાકે કેવડિયા હેલી પેડ પર આવશે
  • ત્યાંથી સીધા 8.15 સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાના ચરણ પૂજન કરશે
  • 8.30 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ ,પોલીસ મેમોરિયલ મોમેન્ટો,તેમજ પ્રદર્શનને ખુલ્લું મુકશે.
  • 9.00 કલાકે પોલીસ અધિકારીઓને તેમજ ઉપસ્થતિ લોકોને સંબોધન કરશે
  • 9.45 કલાકે પ્રોબેશનરી સનદી આધિકારીઓને સંબોધન કરશે અને વિવધ પ્રકલ્પોની મુલાકાત કરશે
  • વડાપ્રધાન મોદી સાંજે 5 વાગ્યા સુધી રોકાશે.
    એકતા દિનની ઉજવણીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં CEOએ યોજી પ્રેસ કોન્ફરન્સ

આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ કરી ટિકિટ ટાઇમિંગમાં પણ વધારો કરી સાવરે 8 થી સાંજે 8 વાગ્યા સુધી પ્રવાસીઓને ટિકિટ મળશે પરંતુ 31 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.

વરસાદી માહોલ છે ત્યારે તંત્ર દ્વારા બંદોબસ્ત પણ કરી કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહે તેવી તમામ તૈયારીઓ કરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details