ગુજરાત

gujarat

ETV Bharat / state

અબુધાબીથી આવેલા 133 ભારતીય કામદારોને નર્મદામાં કોરેન્ટાઈન કરાયા - latest news of narmada

દુબઈના અબુધાબીથી આવેલા 133 ભારતીય મજદૂરોને નર્મદામાં કોરોનટાઇન કરાયા રાજપીપળાની આદર્શ નિવાસી શાળામાં નર્મદા જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવતા વધુ સારી સુવિધાની માંગણી કરી મજદૂરોએ મીડિયા સામે રોષ વ્યકત કર્યો. લોકડાઉનમાં દુબઇની એક કંપનીમાં મજબૂરી માટે ગુજરાતના કેટલાક મજદૂરો ચાર મહિના પહેલા મજૂરી માટે ગયા હતા જ્યાં કામગીરી બાદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો બંધ કરાતા બે મહિનાથી આ મજદૂરો અબુધાબીમાં ફસાયા હતા

narmada
133 ભારતીય મજદૂરોને નર્મદામાં કોરોનટાઇન કરાયા

By

Published : May 28, 2020, 3:46 PM IST

નર્મદાઃ દુબઈના અબુધાબીથી 133 ભારતીય મજદૂરોને નર્મદામાં કોરનટાઇન કરાયા રાજપીપળાની આદર્શ નિવાસી શાળામાં નર્મદા જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવતા વધુ સારી સુવિધાની માંગણી કરી મજદૂરોએ મીડિયા સામે રોષ વ્યકત કર્યો. લોકડાઉનમાં દુબઇની એક કંપનીમાં મજબૂરી માટે ગુજરાતના કેટલાક મજદૂરો ચાર મહિના પહેલા મજૂરી માટે ગયા હતા જ્યાં કામગીરી બાદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો બંધ કરાતા બે મહિનાથી આ મજદૂરો અબુધાબીમાં ફસાયા હતા.

અબુધાબીથી આવેલા 133 ભારતીય મજદૂરોને નર્મદામાં કોરોનટાઇન કરાયા

હાલ ફ્લાઈટો શરૂ થતાં એક ફ્લાઇટ દુબઇથી સીધી અમદાવાદ પહોંચી હતી. આ તમામ મજદૂરોને ચેકીંગ કરીને 10 દિવસ સરકારી જગ્યામાં કોરોનટાઇન માટે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી 133 જેટલા વ્યક્તિઓને નર્મદા જિલ્લામાં કોરોનટાઇન માટે મોકલવામાં આવ્યા. જેથી રાજપીપળાની આદર્શ નિવાસી શાળામાં રાખવામાં આવ્યા છે. જોકે આ ફેસિલિટીમાં તેમણે વધુ સારી સુવિધા જોઈતી હોવાથી અહીંયા રહેવા બાબતે વિરોધ નોંધાવી સરકારની કામગીરીની નિંદા કરી અને સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો.

133 ભારતીય મજદૂરોને નર્મદામાં કોરોનટાઇન કરાયા

નર્મદા જિલ્લામાં 300 જેટલા લોકોને રાખી શકાય એટલી સરકારી અને ખાનગી બંનેમાં મળીને સુવિધા તંત્ર પાસે છે તેવી રાજ્ય સરકારને સૂચના આપી હતી. જોકે આદિવાસી જિલ્લામાં વધુ સારી વ્યવસ્થા આપી શકાય તેમ ના હોવાથી ખાનગી જગ્યામાં રૂપિયા ખર્ચીને આ મજદૂરો જવા તૈયાર નથી. એટલે તંત્રની મજબૂરી હોવા છતાં વિદેશથી આવેલ આ વ્યક્તિઓ પરિસ્થિને સમજવા કરતા તંત્ર સામેજ રોષ વ્યકત કરતા નજરે પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details