ગુજરાત

gujarat

મોરબીના હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર

By

Published : Nov 21, 2019, 6:31 PM IST

મોરબી: હળવદના સૂર્યનગર ગામ નજીકના બ્રાહ્મણી-2 ડેમ પાસેથી એક કોથળામાં બાંધેલી અવસ્થામાં યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસ અને LCBની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.

etv bharat

મળતી માહિતી મુજબ હળવદના બ્રાહ્મણી-2 ડેમના કાંઠે કોથળામાં મૃતદેહને બાંધી ફેંકી દેવામાં આવ્યો હતો. જેની જાણકારી ગામના સરપંચે હળવદ પોલીસને કરતા હળવદ ઇન્ચાર્જ પીઆઈ સંદીપ ખાંભલા તેમજ મોરબી LCB ટીમ ધટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવની સઘન તપાસ હાથ ધરી હતી.

હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કોથળામાં વીંટેલ મૃતદેહ મળી આવ્યો
પોલીસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મૃતકના ખીસ્સામાંથી જામનગર મુંબઈની એર ટિકિટ મળી આવી હતી. તે ઉપરાંત 5 હજાર રોકડા અને ઘડિયાળ સહિતની ચીજ મૃતક પાસેથી મળી આવી હતી. મૃતદેહ કોથળામાં વીંટાયેલ હોવાથી હત્યાની પ્રબળ આશંકા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details