ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજ્ઞાનજાથાની ટીમે મોરબીના ઢોંગી ભૂવાનો કર્યો પર્દાફાશ - વિજ્ઞાનજાથાની ટીમે મોરબી ઢોંગી ભૂવાનો પર્દાફાશ કર્યો

મોરબીમાં છેલ્લા 17 વર્ષથી ભૂવો બની છેતરતા આરોપીને વિજ્ઞાન જાથાની ટીમે ખુલ્લો પાડ્યો હતો. ત્યારબાદ ભૂવીએ ગુનો કબૂલતા પોલીસને હવાલે કર્યો હતો.

morbi
morbi

By

Published : Feb 15, 2020, 8:17 AM IST

મોરબીઃ શહેરમાં છેલ્લા 17 વર્ષથી ઘરમાં રામાપીરનું સ્થાનક ઉભું કરીને છેતરપિંડી કરતા ઢોંગી ભૂવાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે. આ ઘટનાની જાણકારી અરવિંદભાઈના વ્યક્તિએ વિજ્ઞાનજાથાના કાર્યાલયમાં આપી હતી, ત્યારબાદ વિજ્ઞાનજાથાની ટીમે પોલીસ સાથે ભૂવાના સ્થાને પહોંચી તેની અટકાયત કરી હતી.

મોરબીના અરવિંદભાઈ અને ભરત પરમારે વિજ્ઞાન જાથા કાર્યાલયમાં જણાવ્યું હતું કે, મોરબીના વજેપર વિસ્તારમાં ભૂવો બાબુ રાજા કણઝારીયા લોકોના દુઃખ દર્દ, રોગ મટાડવા અને સગાઇ લગ્ન જેવા કાર્યો કરવાનું પોતાના ઘરમાં રામાપીરનું સ્થાનક ઉભું કરી ધતિંગ કરે છે. તેમજ વિવિધ પૂજા કરવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરે છે.

અરવિંદભાઈ સહિત અનેક લોકોએ આ ઘટનાની જાણ વિજ્ઞાન જાથાની ટીમને કરી હતી, ત્યારબાદ રાજકોટથી વિજ્ઞાન જાથા ટીમના જયંત પંડ્યા, વિનુભાઈ ઉપાધ્યાય, રામભાઈ આહીર સહિતની ટીમ પોલીસ મથકે પહોંચી પોલીસની મદદ માગી હતી.

પોલીસે સંપૂર્ણ ઘટનાનો તાગ મેળવીને વિજ્ઞાનજાથાની ટીમ સાથે વજેપર ભૂવાના સ્થાનકે પહોંચ્યા હતા. જ્યાં તેને સૌની સામે પાડીને તેનો ગુનો કબૂલાવ્યો હતો. તેમજ માંફી મંગાવી હતી.

ABOUT THE AUTHOR

...view details