ગુજરાત

gujarat

By

Published : Sep 3, 2020, 6:52 PM IST

ETV Bharat / state

અજીતગઢ નજીક બ્રાહ્મણી નદીમાં તણાયેલા યુવકનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો

હળવદના અજીતગઢ માનગઢ વચ્ચે આવેલી બ્રાહ્મણી નદીમાં સોમવારના રોજ બે યુવાનો તણાયા હતા. જેમાં એક યુવાન લાપાતા થયો હતો. સ્થાનિક તરવૈયા અને NDRFની ટીમે 3 દિવસની ભારે જહેમત બાદ મૃતદેહ શોધી કાઢયો હતો. ઘટનાને કારણે નાનકડા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

NDRF
NDRF

મોરબીઃ હળવદ તાલુકાના અજીતગઢ માનગઢ વચ્ચે આવેલ બ્રાહ્મણી નદી પાર કરતાં બે યુવાનો તણાયા હતા. જેમાં એક યુવાનને બચાવી લેવાયો હતો. જ્યારે અન્ય યુવાન કાનજીભાઈ ગોરધનભાઈ ઠાકોર (ઉ.વ.20) લાપતા થયો હતો. ત્રણ દિવસ સુધી તેની શોધખોળ કરવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદે NDRFની ટીમ આવી હતી. ભારે જહેમદ બાદ ત્રીજ દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનના મોતને પગલે નાનકડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details