મોરબી ટંકારાના દેવડીયા ગામના રહેવાસી મયૂરભાઈ હરિભાઈ ભાલોડીયા નામના યુવાને દેવડીયા ગામ નજીક અવેક શ્રી કોટેક્ષ જીનીંગ ફેક્ટરીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ મામલે ટંકારા પોલીસના વી આર વઘેરા પાસેથી વિગતો મુજબ મૃતક આર્થિક ભીંસમાં આવીને આવું પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે.
ધંધામાં મોટી નુકસાની મયૂરભાઇને વ્યવસાયમાં 2 કરોડ રુપિયાની ખોટ આવી હતી. આ ઉપરાંત બેંકમાંથી ઓડિટ પણ આવવાનું હતું. જેને પગલે તેઓ ચિંતામાં હતાં. ટંકારા પોલીસે આત્મહત્યાના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.