મોરબી: શહેરના લાયન્સનગરમાં લાંબા સમયથી ગટરમાંથી શેરીમાં ગંદા પાણી ફરી વળે છે અને રાહદારીઓને તેેેેમાંથી ચાલવાની ફરજ પડે છે.
મોરબીના લાયન્સનગરમાં ખુલ્લી ગટરની સમસ્યાથી રહેવાસીઓ ત્રાહિમામ - મોરબીના લાયન્સનગરમાં ગટરની સમસ્યાથી રહીશો પરેશાન
મોરબીના લાયન્સનગરમાં ગટરના ગંદા પાણી અને ખુલ્લી કુંડીને પગલે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ મોરબી પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.
![મોરબીના લાયન્સનગરમાં ખુલ્લી ગટરની સમસ્યાથી રહેવાસીઓ ત્રાહિમામ મોરબીના લાયન્સનગરમાં ગટરના ગંદા પાણીથી રહેવાસીઓ ત્રાહિમામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:58-gj-mrb-04-gandki-rajuaat-av-gj10004-10062020165417-1006f-1591788257-868.jpg)
મોરબીના લાયન્સનગરમાં ગટરના ગંદા પાણીથી રહેવાસીઓ ત્રાહિમામ
આ મામલે નગરપાલિકા પાણી પુરવઠા બોર્ડમાં સામાજિક કાર્યકર અબ્દુલ બુખારી દ્વારા પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે પરંતુ ક્યાંકને ક્યાંક તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ચોમાસાની ઋતુમાં આ વિસ્તારના રહીશોને ગટર ઉભરાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તે ચાલતા રાહદારીઓ તથા વાહનચાલકો પણ અકસ્માતના ભય હેઠળ વાહન ચલાવી રહ્યા છે. ત્યારે રહીશોએ પાલિકા તંત્રને આ અંગે તત્કાલ પગલાં ભરવાની માગ કરી છે.