ગુજરાત

gujarat

ETV Bharat / state

ગૌચરમાં દબાણ મામલે ધરમપુર ગામના સરપંચ સહિત 7 સભ્યોને હોદ્દા પરથી દુર કરાયા - Morbi News

મોરબીના ધરમપુર ગામે ગૌચરમાં દબાણ મામલે મળેલી ફરિયાદ બાદ નોટીસ આપવામાં આવી હતી છતા કોઇ કાર્યવાહી ન કરાતા ડીડીઓ દ્વારા સરપંચ અને 7 સભ્યોને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મોરબીના ધરમપુર ગામના સરપંચ સહિત 7 સભ્યોને હોદ્દા પરથી દુર કરવાનો કરાયો આદેશ
મોરબીના ધરમપુર ગામના સરપંચ સહિત 7 સભ્યોને હોદ્દા પરથી દુર કરવાનો કરાયો આદેશ

By

Published : Jun 12, 2020, 4:11 PM IST

મોરબીઃ મોરબીના ધરમપુર ગામે ગૌચરમાં દબાણ મામલે મળેલી ફરિયાદ બાદ તપાસ ચલાવીને દબાણો મામલે કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી હતી. છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ડીડીઓ દ્વારા સરપંચ અને 7 સભ્યોને હોદા પરથી દુર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ભરતભાઈ માવજીભાઈ માકસણાએ રજૂઆત કરી હતી કે, ધરમપુર ગ્રામ પંચાયતમાં ગૌચર જમીનમાં દબાણ હાવાને કારણે ટીડીઓએ તપાસ કરતા દબાણો માલૂમ પડ્યા હતા અને ગુજરાત પંચાયત ધારા 1993ની કલમ 105 મુજબ જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ પર નડતર અને દબાણ દુર કરવાના અધિકાર ગ્રામ પંચાયતને આપેલા હતા.

તેમ છતાં ધરમપુર ગ્રામ પંચાયતની સામાન્ય સભાના 14 માર્ચ 2017નો ઠરાવ નં 4 તેમજ તારીખ 25 એપ્રિલ 2017ના ઠરાવ નંબર 3થી ગૌચર જમીનમાં કરેલા દબાણ દુર કરવા બાબતે અસમર્થ હોવાનો ઠરાવ કરેલો હતો. જેને ધ્યાને લઈને ગુજરાત પંચાયત અધિનિયમ1993 ની કલમ 57 (1) અન્વયે કાર્યવાહી કરી ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ તથા 7 સભ્યોને હોદા પરથી દુર કરવામાં આવ્યા છે.

જે હુકમથી સરપંચ અને 7 સભ્યો નારાજ થવાથી વિકાસ કમિશ્નર ગાંધીનગરને અપીલ કરેલી હતી. જેના અનુસંધાને વિવાદીને બચાવની પુરતી ટક આપવા કારણ દર્શક નોટીસ આપવામાં આવી હતી.

23 જાન્યુઆરી 2018 ના રોજ મુદત રાખેલી હતી. પરંતુ ધરમપુર ઉપસરપંચ દ્વારા મુદતે જવાબ રજુ કરવા પુરતો સમય ના હોવાથી નવી મુદ્દત આપવા અરજી કરી હતી.

ગૌચર દબાણ મામલે આખરે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ મનીષાબેન ભાવેશભાઈ માકસણા, સભ્યો પ્રાણજીવનભાઈ લાલજીભાઈ માકસણા, ચંપાબેન રામજીભાઈ ઉપસરીયા, રસીલાબેન સંજયભાઈ સંતોકી, આશાબેન હર્ષદભાઈ માકસણા, મહેન્દ્રભાઈ નાનજીભાઈ વાલેરા, મનજીભાઈ પ્રેમજીભાઈ વઢરેકિયા અને ભરતકુમાર નાથાલાલ માકસણાને હોદા પરથી દુર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details