ગુજરાત

gujarat

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઇ રાજવી પરિવાર શોકાકુલ, મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી

By

Published : Nov 2, 2022, 9:55 PM IST

મોરબી રાજવી પરિવાર ઝૂલતાપુલ દુર્ઘટના ( Morbi Bridge Collapse ) પ્રત્યે દુઃખ અને ઊંડા શોકની લાગણી ( Morbi royal family saddened by Morbi Bridge Collapse ) વ્યક્ત કરી છે. રાજવી પરિવાર દ્વારા દરેક મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયાની સહાય ( Donate to Families of Deceased ) અર્પણ કરાશે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઇ રાજવી પરિવાર શોકાકુલ, મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઇ રાજવી પરિવાર શોકાકુલ, મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી

મોરબી મોરબીમાં 30 ઓકટોબર 2022 રોજ ઝૂલતા પુલ તુટવાની દુર્ઘટના ( Morbi Bridge Collapse ) બની છે. આ દુર્ઘટનામાં 136 જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. આઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. આ ગોઝારી ઘટનામાં પરિવાર સાથે ઝૂલતા પૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ નાગરિકો ભોગ બન્યા છે. આ ઘટનાથી આખું વિશ્વ સ્તબ્ધ થઇ ગયુ છે. ત્યારે મોરબીનો પૂર્વ રાજવી પરિવાર શોકાકુલ ( Morbi royal family saddened by Morbi Bridge Collapse) છે.

દરેક મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયાની સહાય

રાજકુંવરીબા સાહેબ મીરાબાપા મોરબી રાજવી પરિવારનો સંદેશમોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઇ રાજવી પરિવાર શોકાકુલ છે. ત્યારે શોક સંદેશમાં જણાવાયું છે કેમોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ ( Rajamata of Morbi Vijaya Kunwarba Saheb ) તથા રાજકુંવરીબા સાહેબ મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર અત્યંત દુઃખની લાગણી ( Morbi royal family saddened by Morbi Bridge Collapse)અનુભવે છે અને આ ઘટનાથી અત્યંત વ્યથિત છે. રાજવી પરિવાર તરફથી શોકસંદેશમાં જણાવાયું હતું કેના જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી તેવી ઘટનાથી ખૂબ જ હતપ્રભ થયા છે. આ હતભાગીઓના પરિવાર સાથે રાજવી પરિવાર સાથે છે અને તેમના દુઃખમાં સહભાગી છે.

મોરબી રાજવી પરિવાર ઘૂલતા પુલ દુર્ઘટનાથી ઊંડા શોકની લાગણી અનુભવે છે

આ ઘટના ( Morbi royal family saddened by Morbi Bridge Collapse) ની જાણ થતા રાજવી પરિવાર વતી રાજકુંવરીબા સાહેબ મીરાબાપા તાત્કાલિક મોરબી આવેલાં છે. તેમણે રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજવી પરિવાર વતી પ્રત્યેક હતભાગીના પરિવારને રુપિયા એક લાખ ( Donate to Families of Morbi Bridge Collapse Deceased ) ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે સહાય કરવા માટેની તત્પરતા દાખવી છે. સાથે આ ઘટનામાં તાત્કાલિક બચાવકાર્ય મદદ કરનાર તમામ સ્થાનિક લોકો, સેવાભાવિ સંસ્થાઓ, તંત્રનો પણ મોરબી રાજવી પરિવાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details