ગુજરાત

gujarat

ETV Bharat / state

"ગરીબીની અમીરી": રામ નામે ચાલતું બાપાનું અન્નધામ

મોરબીના મૂળ રંગપર ગામના વતની અને ઘણાં વર્ષોથી મોરબીમાં સ્થાયી થયેલા અને શહેરના સ્ટેશન રોડ ઉપર સુરજબાગની દીવાલે નાની એવી ઝૂંપડી બનાવીને રહેતાં 72 વર્ષના બચુ બાપા ત્યાં જ નાની એવી કેબીન અને ટેબલ રાખીને બચુ બાપાના ઢાબાના નામે વર્ષોથી ભુખ્યાજનોની જઠરાગ્નિ ઠારવા માટે સેવાયજ્ઞ ચલાવી રહ્યાં છે. દિલ્હીમાં જેમ ‘બાબા કા ઢાબા’ છે, તેમ મોરબીમાં ‘બચુ બાપા કા ઢાબા’ના નામે સેવાયજ્ઞ ચાલે છે.

By

Published : Nov 20, 2020, 3:21 PM IST

રામ નામે ચાલતું બાપાનું અન્નધામ
રામ નામે ચાલતું બાપાનું અન્નધામ

  • "ગરીબીની અમીરી" : રામ નામે ચાલતું બાપાનું અન્નધામ
  • બચુબાપુનું અન્નધામ, નિરાધારનો આધાર
  • 72 વર્ષની વયે પણ અન્નક્ષેત્ર ચલાવી રહ્યાં છે બચુબાપા
  • ફક્ત રુપિયા 40માં ભરપેટ ભોજન

મોરબીઃ મોરબીના આ બચુબાપા માત્ર રૂ.40 માં ભૂખ્યાંજનોને ભરપેટ ભોજન કરાવે છે. જો કે ભોજન કરવા માટે માત્ર રૂ. 40નો ભાવ રાખ્યો છે. પણ કોઈ તેનાથી ઓછા એટલે રૂ. 10 કે 20 રૂપિયા આપે તો પણ રાજીપો વ્યક્ત કરીને એ રકમ લઈ લે છે અને કદાચ કોઈ દરિદ્ર નારાયણ આટલી રકમ ન આપે તો પણ તેઓ તેમને પ્રેમથી આરોગ્ય પ્રદ ભરપેટ ભોજન કરાવે છે. આવા તો આવા અનેક લોકોને તેઓ રોજ જમાડે છે. જો કે આ ભાવ તો તેમણે માત્ર શાકભાજીનો ખર્ચ કાઢવા માટે રાખ્યો છે. પોતાની આજીવિકા માટે નહીં. આ ઢાબા પાછળ એમનો કમાણી કરવાનો કોઈ આશય નથી. માત્ર થોડા રૂપિયામાં પણ ગરીબ લોકો ભરપેટ ભોજન કરી શકે તેવો જ તેમનો ઉદેશ્ય છે.

રામ નામે ચાલતું બાપાનું અન્નધામ
72 વર્ષની વયે પણ અન્નક્ષેત્ર ચલાવી રહ્યાં છેરૂ. 40ની થાળીમાં ત્રણ સ્વાદિષ્ટ શાક, રોટલી-દાળભાત, છાશ, પાપડ, અથાણાં હોય છે. ટૂંકમાં ભૂખ્યાંજનોને ઓડકાર આવી જાય તેટલુ જમવાનું પીરસે છે. હાલના મોંઘવારીના જમાનામાં સામાન્યમાં સામન્ય હોટલ કે ઢાબામાં 100 રૂપિયાથી નીચે થાળી મળતી નથી. ત્યારે આ બચુ બાપા માત્ર રૂ. 40માં ગુજરાતી થાળીમાં જેટલી વસ્તુઓ હોય તેટલી વસ્તુઓ પીરસીને ભૂખ્યાંજનોની જઠરાગ્નિ તૃપ્ત કરે છે. જો કે અહીં પછાત અને ગરીબ વિસ્તાર છે. આથી, દરરોજ બચુ બાપાના ઢાબામાં 50 જેટલા લોકો જમવા આવે છે. તેમાંથી 10 લોકો એવા હોય છે કે જેમની પાસે પૈસા હોતા નથી. પણ આ બાપાનો પ્રેમાળ સ્વભાવને કારણે તેમના ઢાબામાં કોઈ જમ્યા વગર જતાં નથી.
  • રામનામ સાથે બાપાનું અન્નધામ

બચુ બાપા પરિવાર સાથે રહીને 40 વર્ષ પહેલા ગાંઠિયાની લારી ચલાવતા હતાં. તેમને એક જ દીકરી છે તે પણ પરણીને સાસરે જતી રહી છે. અને પત્નીનું 10 મહિના પહેલાં અવસાન થયું છે. હવે એકલા હોવા છતાં પણ જાતે જ લોટ બાંધી તથા શાક બનાવીને લોકોને જમાડે છે. બાપા પાસે કોઈ મૂડી નથી. તેઓ ભોજનના 40 રૂપિયા લે છે. એમાં પણ માત્ર 100 રૂપિયા જ બચે છે. ક્યારેક એ રકમ પણ બચતી નથી.

  • બાપાનો ટેસ્ટ, હોટલ કરતાં બેસ્ટ

બચુબાપા કહે છે કે 35 વર્ષ પહેલા તેમને મોરારી બાપુ સાથે મળવાનું થયું હતું. ત્યારે મોરારી બાપુએ લોકોને ઉપયોગ સારું કાર્ય કરવાની શીખ આપી હતી. ત્યારથી બચુ બાપાએ આ સેવાયજ્ઞ ચાલુ કર્યો અને આજે 72 વર્ષની ઉંમરે પણ નિસ્વાર્થ ભાવે લોકોને પ્રેમથી જમાડીને જીવશે ત્યાં સુધી આ સેવાયજ્ઞ ચાલુ રાખવાનું જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details