- ઘણા દિવસ બાદ મોરબીમાં બજારો ખુલી
- મુખ્ય પ્રધાન રૂપાણીએ પીપાવાવમાં આ જાહેરાત કરી
- મોરબી સહિત 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત
મોરબી : છેલ્લા એક માસથી રાજ્યમાં અમલી બનવાયેલા આંશિક નિયંત્રણથી વેપારીઓ હવે અકળાઈ ઉઠ્યા હોવાથી રાજ્યભરના વેપારી સંગઠન અને ચેમ્બર દ્વારા આંશિક નિયંત્રણ ઉઠાવી લેવા માગ કરવામાં આવી હતી. બીજી તરફ કોરોના હળવો થતા સરકારે વેપારીઓની લાગણી અને માંગણી આંશિક સ્વીકારી છે અને છૂટછાટ જાહેર કરી તમામ વેપાર, ધંધા બપોરે 3 સુધી ખુલ્લા રાખવા નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : પોરબંદરમાં આંશિક લોકડાઉન ખુલતા વેપારીઓને રાહત