મોરબી- ગુજરાત કોંગ્રેસ સમિતિના સહપ્રભારી,સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ રામકિશન ઓઝા અને ટંકારા-પડધરીના ધારાસભ્ય (Tankara Paddhari MLA Lalit Kagathara) તથા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા (Gujarat Congress Working President Lalit Kaghara ) આજે મોરબી જિલ્લાના પ્રવાસે આવ્યાં હતાં. તેઓએ હોદેદારો તથા કાર્યકરો સાથે આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વેની ગોઠવણ અંગે ચર્ચા કરી હતી. જે બાદ આજે સવારે મોરબીમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બાઈક રેલીમાં કોંગ્રેસના અગ્રણીઓએ ઠેરઠેર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જે બાદ રવાપર ખાતે કોંગ્રેસની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં MLA લલિત કગથરાએ પ્રધાન બ્રિજેશ મેરજાને પર ગંભીર કટાક્ષ કરીને તેમનું 'ગદ્દાર' તરીકે (Sarcasm on Brijesh Merja )સંબોધન કર્યું હતું.
મોરબીના ઉદ્યોગકારો નુકશાની સહન કરી રહ્યા છે સરકાર કઈ કરતી નથી - આ મુદ્દે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ગદારી ક્યારેય સહન નથી કરી શકતો એટલે જે પક્ષે મને બધું આપ્યું એની સાથે કોઈ કાળે ગદ્દારી નહીં કરું. કોંગ્રેસ સાથે આજીવન વફાદાર રહીશ. ખેતી અને ગામડાઓ માટે આ ભાજપ નથી ભાજપ આપડું છે નહીં અને થાવાનું નથી. તમારી કોઈની ચિંતા નથી. ખેતીની ચિંતા નથી. માત્ર ઉદ્યોગોની વાતો કરે છે અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો (Ceramic industry of Morbi ) પણ નુકસાની સહન કરી રહ્યા છે છતાં સરકાર કંઈ કરતી નથી. પાછું સરકારમાં કોઈ બોલી શકતું નથી. રાજ્ય સરકારના પ્રધાનો વાતો કરે છે. બાકી અધિકારી રાજ જ યથાવત હોવાનો આક્ષેપ લલિત કગથરાએ લગાવ્યો હતો.
આ પણ વાંચોઃ 2022ની ચૂંટણીને લઈ વસોયાનું આક્રમણ તેવર, ભાજપનો ભરપુર ઉડાવ્યો છેદ !