વાંકાનેરમાં આવેલ મંદિરમાં પૂજ્ય જલારામ બાપા તેમજ અન્ય ફોટાને નુકશાન પહોંચાડવામાં આવતા જે મામલે મંદિરના પૂજારીની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી હતી.
વાંકાનેરના મંદિરમાં જલારામ બાપાની મૂર્તિ ખંડિત કરાતા પોલીસ ફરીયાદ નોંધાઇ - Wankaner Jalaram Bapa
વાંકાનેર: વાંકાનેરના શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજ્ય જલારામ બાપાની મૂર્તિ એક શખ્સે ખંડિત કરતા વિવાદ સર્જાયો હતો. આ બનાવના પગલે પુજારીની ફરિયાદને આધારે સીટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
etv bharat
જે બનાવ અંગે પુજારીની ફરિયાદને પગલે વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 295 અને 427 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ જલારામ જયંતીનો પાવન અવસર હોય તે પૂર્વે જલારામ બાપાની મૂર્તિ ખંડિત થવાના બનાવને પગલે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તો પોલીસે પણ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
TAGGED:
Wankaner Jalaram Bapa