- રણછોડગઢ બેઠક ભાજપનો ભગવો લહેરાવ્યો
- ત્રાજપર બેઠક પર કોંગ્રેસે ફરી સત્તા હાંસલ કરી
- ત્રાજપર-2 અને રણછોડગઢ બેઠક પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી
મોરબી : મોરબી તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રાજપર-2 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં 54.84 ટકા જેવું મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જો કે ગત ટર્મમાં આ બેઠક કોંગ્રેસના હાથમાં હતી. અને આ પેટા ચૂંટણીમાં પણ ત્રાજપર બેઠક કોંગ્રેસના હાથમાં આવી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ જેસાભાઈ ડાભીને ૧૯૬૫ મત મળ્યા છે, તો ભાજપના ઉમેદવાર દેવજીભાઈ વરાણીયાને ૮૮૦ મત મળ્યા છે. અને નોટામાં ૫૩ મત પડ્યા છે. આમ ફરી કોંગ્રેસે આ સીટ જાળવી રાખી છે.
ત્રાજપર બેઠક પર કોંગ્રેસનો પંજો તો, હળવદની રણછોડગઢ બેઠક ભાજપનો ભગવો લહેરાવ્યો