ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં અંધશ્રદ્ધા દુર કરવા વિજ્ઞાન જાથા દ્વારા રાજય કક્ષાનો જાગૃત કાર્યક્રમ યોજાયો

મોરબી: સામાન્ય રીતે દેશભરમાં કાળી ચૌદસ નિમિત્તે ભૂત-પ્રેત, મેલી વિદ્યાઓ તેમજ અંધશ્રદ્ધા લોકોમાં જોવા મળતી હોય છે. કકડાટ કાઢવા, વડા મુકવા, સ્મશાનમાં મહિલાઓએ ન જવા જેવી અનેક ગેરમાન્યતા ઘર કરી ગઈ છે, ત્યારે તે ગેરમાન્યતાને દૂર કરવા જન વિજ્ઞાન જાથા દ્રારા અનેક જાગૃતી કાર્યક્રમ કરવામાં આવતાં હોય છે. કાળી ચૌદસ નિમિતે ટંકારામાં વિજ્ઞાન જાથા દ્વારા રાજય કક્ષાનો જાગૃત કાર્યક્રમ યોજાયો હતો.

By

Published : Oct 27, 2019, 5:12 PM IST

મોરબી

જેમાં આર્ય સમાજ અને ટંકારા ગામના લોકો સાથે યોજાયેલ કાર્યક્રમમાં ટંકારાનાં આર્ય સમાજ ચોક ખાતેથી મેલી વિદ્યાની નનામી કાઢવામાં આવી હતી. જેને મહિલાઓ અને યુવતીઓએ નનામીને કાંધ આપી હતી. ભૂતના મોહરા પહેરી બાળકો અને ટંકારાવાસીઓએ સાથે મળી રેલી કાઢી હતી. જે બાદ સ્મશાન યાત્રામાં જોડાયા હતાં. સામાન્ય રીતે સ્મશાનમાં મહિલાઓ પ્રવેશ કરતી નથી જો કે, સ્મશાનમાં મહિલાઓ પ્રવેશી હતી અને મેલીવિદ્યાની નનામીને પણ અગ્નિદાહ આપ્યો હતો.

મોરબીમાં અંધશ્રદ્ધા દુર કરવા વિજ્ઞાન જાથા દ્વારા રાજય કક્ષાનો જાગૃત કાર્યક્રમ યોજાયો

આ ઉપરાંત સ્મશાનમાં જ ચા નાસ્તો બનાવી આરોગવામા આવ્યા હતાં. આ જાગૃત કાર્યક્રમમાં મોટી ગામના લોકોએ સ્મશાનમાં કાર્યક્રમો યોજયો, જેમાં સ્મશાનમાં રાત્રીના ભજન, ભોજન અને ભજીયા પાર્ટીના આયોજનોની સાથે વિવિધ જનજગૃતિલક્ષી કાર્યક્રમો યોજ્યા હતાં.



ABOUT THE AUTHOR

...view details