ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના ધન્વંતરી ભવન ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો - ETVBharatGujarat

વિશ્વ આયુર્વેદ દિવસ નિમિતે ધનતેરસના પાવન પર્વ પર ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા આર્યુવેદિક શાખા મોરબી અને સરકારી આયુર્વેદ દવાખાનું-માણેકવાડા અને મોટા દહીંસરા દ્વારા આયુર્વેદ દિવસની ઉજવણીનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતુું.

મોરબીના ધન્વંતરી ભવન ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
મોરબીના ધન્વંતરી ભવન ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

By

Published : Nov 13, 2020, 6:01 PM IST

  • મોરબીના ધનવંતરી ભવન ખાતે નિદાન આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
  • નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
  • જિલ્લામાં ચાર તાલુકામાં યોજાયો કેમ્પ

મોરબીઃ આ કાર્યક્રમમાં આયુર્વેદ ફોર કોવિડ પેનડેમિકની થીમ પર ધનવંતરી પૂજનની સાથે 'કોરોના અને જીવનશૈલી' વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમ જ રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા અને ગોળીઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં જિલ્લા આયુર્વેદિક શાખાના આયુર્વેદિક અધિકારી ડો. પ્રવીણ વડાવીયા, ડો. જીગ્નેશ બોરસાણીયા અને ડો. દીપ્તિ કંડેચાએ સેવા આપી હતી.

ધનવંતરી પૂજનની સાથે 'કોરોના અને જીવનશૈલી' વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details