ગુજરાત

gujarat

By

Published : Oct 4, 2021, 3:30 PM IST

ETV Bharat / state

મોરબીમાં ગાંધી જયંતી નિમિતે નેચરોથેરાપી સેમીનાર યોજાયો

2 ઓક્ટોબરે એટલે મહાત્માં ગાંધી જન્મ જયંતી દિવસ. ગાંધી જયંતી દિવસે ન માત્ર ગુજરાતમાં પરંતુ સમ્રગ ભારતમાં ગાંધી જયંતી નિમિતે વિવિઘ કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં ગાંધી જયંતી નિમિતે નેચરોથેરાપી સેમીનાર યોજાયો હતો.

મોરબીમાં ગાંધી જયંતી નિમિતે નેચરોથેરાપી સેમીનાર યોજાયો
મોરબીમાં ગાંધી જયંતી નિમિતે નેચરોથેરાપી સેમીનાર યોજાયો

  • મોરબીમાં નેચરોપેથીનો સેમિનાર અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન
  • રોગમુક્ત રહેવા શું કાળજી રાખવી તેના વિશે માહિતી આપી.
  • શરીરના વિવિધ રોગોનું માર્ગદર્શન આપ્યું

મોરબીઃ ગાંધી જયંતી નિમિતે મોરબીના પ્રસંગ હોલ ખાતે નેચરોપેથીનો સેમિનાર અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેચરોપેથીના સેમિનારમાં કઈ રીતે પ્રાકૃતિક રીતે રોગોના ઉપચાર કરી શકાય અને શરીર ને રોગમુક્ત અને નિરોગી બનાવી શકાય એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શરીર ને રોગમુક્ત અને નિરોગી કેમ બનાવી શકાય એના વિશે માર્ગદર્શન નેચરાપિસ્ટ અંજુબેન પાડલીયા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમજ આપણા શરીરમાં રોગોનો જન્મ કયાં કારણોથી થાય છે અને રોગમુક્ત રહેવા શું કાળજી રાખવી તેના વિશે માહિતી આપવામાં આપી હતી.

નિષ્ણાત ડોક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

બિમારી કોઈ પણ માથાભારે હોય છે. ત્યારે મોરબીમાં નેચરોપેથીનો સેમિનાર અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં બીમારથી કે બીપી, ડાયાબિટીસ, થાયરોઇડ, કબજિયાત, હરસ-મશા, ચામડીના રોગો, સફેદ કોઢ, સોરીયાઇસીસ, ખરજવું, કેન્સર, પેરેલીશિષ પેશન્ટ, કપાશી, સાંધા-સ્નાયુ તેમજ વા ના દુખાવો વજન ઘટાડવો-વધારવો સહિતની બીમારી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબીમાં ગાંધી જયંતી નિમિતે નેચરોથેરાપી સેમીનાર યોજાયો

વિવિધ સેમિનારનું આયોજન સારી બાબત

આ ઉપરાત ચામડીના ર્રોગો,કપાસી સહિતના રોગોના નિવારણ માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. વર્તમાન પરિસ્થીતિંમાં વિવિધ સેમિનારનું આયોજન એક સારી બાબત કહેવાય. કારણે કે, છેલ્લા ધણા સમયથી લોકો કોરોના જેવી બિમારીથી જોડાયેલા હતા. તો આવા સેમિનાર થક્કી કોઈ આવનારી પરિસ્થીતિં સામે લોકોને શું શું તકેદારી રાખવી તેની કાળજી રહે.

આ પણ વાંચોઃ આજે World Suicide Prevention દિવસ, દર 40 સેકેન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે

આ પણ વાંચોઃ આયર્નની ઉણપથી બાળકોના શારીરિક અને માનસિક અસર પડે છે, આ અંગે શું કહે છે નિષ્ણાંત? જુઓ

ABOUT THE AUTHOR

...view details