- ખેડૂત નેતા બનેલા રાકેશ ટિકેતની ગુજરાત મુલાકાત સામે રાજ્યના ખેડૂતોનો પ્રતિસાદ
- ખેડૂતો રાકેશ ટિકેતને સમર્થ નહિ કરે.!
- ગુજરાતમાં પોષણ ક્ષમ ભાવ મળે છે માટે કોઈ નેતાની જરૂર નથીઃ ખેડૂતો
મહેસાણાઃ આગામી 4 થી 5 એપ્રિલના રોજ રાકેશ ટિકેત ગુજરાત મુલાકાત માટે આવે તેવા અહેવાલ રજૂ થઇ રહ્યા છે, ત્યારે રાકેશ ટિકેત મહેસાણા જિલ્લાના ઊંઝા ઉમિયા માતાજી મંદિર દર્શને આવે તેવા પણ સંકેતો સામે આવ્યા છે. જોકે ખેડૂત નેતાના ગુજરાત આગમન પર રાજ્યનાં કેટલાક ખેડૂતોને કોઈ અસર નથી અને તેઓ જણાવા રહ્યા છે કે, તેઓ કોઇ જ ખેડૂત નેતા સાથે નથી તેવો દાવો કરી રહ્યા છે.
ગુજરાતના ખેડૂતોને આવા કોઈ નેતાની જરૂર છે..?
ગુજરાતના ખેડૂતને રાકેશ જેવા કોઈ નેતાની જરૂર નથી તેવું જણાવતા ખેડૂતો પણ પોતે સરકાર સાથે હોવાની વાત કરતા રાકેશ ટિકેતથી નારાજગી દર્શાવી રહ્યા છે. રાકેશ તેના વિસ્તારમાં જ રહે અહીં તેની કોઈ જરૂર નથી ગુજરાતમાં પોષણ ક્ષમ ભાવ મળે છે માટે કોઈ નેતાની જરૂર નથી તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યુ છે.
ખેડૂત બિલ મુદ્દે ખેડૂતોનો વિચાર.!