- મહેસાણા ભાગ એકમાં આજથી મળશે નર્મદાનું પાણી
- 76 સોસાયટીઓ મળશે પાણીનો સીધો લાભ
- નર્મદા જળ સમિતિની સોસાયટીઓ સાથે બેઠક યોજાઈ
મહેસાણા: નગરપાલિકામાં માનવાશ્રમ વિસ્તારમાં વર્તાતી પીવાના પાણીની સમસ્યા અંગે અનેક વાર રજૂઆતો કરાઈ હતી છતાં પાલિકામાં કોંગ્રેસનું શાસન હોઈ કોંગ્રેસ આ સમસ્યાનો ઉકેલ લાવી શકી ન હતી તો અંતના તબક્કામાં ભાજપ પાસે સત્તા આવતા નાયબ મુખ્યપ્રધાનના સહયોગથી ભાજપે આ કામને આગળ ધપાવ્યું. મહેસાણા માનવઆશ્રમ વિસ્તારની 75 સોસાયટીઓને નર્મદાના પાણીનો લાભ મળશે. જેથી 50 હજાર જેટલા લોકોની વસ્તીને પીવાના પાણીની સમસ્યાનું નિવારણ થઈ જશે.