- મહેસાણામાં જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પ્રદેશ પ્રમુખના ભાજપ સામે પ્રહાર
- ખેડૂત વિરોધી કાયદા અને શાસનથી ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે : રાજીવ સાતવ મહેસાણા અર્બુદા ભવનમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ, વિપક્ષે કર્યા ભાજપ સામે પ્રહાર
મહેસાણા અર્બુદા ભવનમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ, વિપક્ષે કર્યા ભાજપ સામે પ્રહાર - અમિત ચાવડા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે સોમવારે મહેસાણાના અર્બુદા ભવનમાં યોજાયેલી જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને ખેડૂત વિરોધી, જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરમુખત્યારશાહી ગણાવી હતી.
![મહેસાણા અર્બુદા ભવનમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ, વિપક્ષે કર્યા ભાજપ સામે પ્રહાર મહેસાણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9883647-141-9883647-1608014225006.jpg)
મહેસાણા
મહેસાણા: કારોબારીમાં સંવાદ કરતાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, દેશ અને ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ જોતાં ભાજપની બંને સરકારોના ખેડૂત વિરોધી કાયદા, કાનૂન અને શાસનથી ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે. આખા દેશના ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરીને આંદોલન કરી અધિકારની લડાઇ લડી રહ્યા છે ત્યારે તેમની વાતને વાચા આપવાવાળું કોઇ નથી.