ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાઃ ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન,  ખેડૂતોની માંગ- પાક વળતર આપો - મહેસાણામાં ખેડૂતોને ભારે નુકસાન

મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે, તો કેટલાંક પાકના વાવેતર કર્યા બાદ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા છોડ ઉગ્યા નથી. જેને લઈ ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. બીજી તરફ મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદને પગલે પાક નિષ્ફળ બનવાની રજૂઆતોને પગલે જુદી-જુદી ટીમો બનાવી સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

mehsana
મહેસાણા

By

Published : Sep 16, 2020, 11:41 AM IST

મહેસાણા: જિલ્લાના લોકો સામાન્ય રીતે ખેતી અને પશુપાલન પર આધારિત છે, ત્યારે સિંચાઈના સ્ત્રોત સિવાય મોટાભાગના ખેડૂતો ચોમાસાની સીઝન આધારિત વાવણી કરતા હોય છે. ચોમાસાની સીઝનમાં ખેડૂતોની ભારે જહેમત બાદ બાજરી, કપાસ, તલ જેવા વિવિધ પાકો પાક્યા હતાં, ત્યાં વરસાદ ગાંડોતૂર બની વરસતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન પહોચ્યું છે.

મહેસાણામાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને ભારે નુકસાન, પાક વળતર માટે ખેડૂતોની માંગ

આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોએ કૃષિ વિભાગને પાક નિષ્ફળની રજુઆત કરતા મહેસાણા જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા વરસાદને પગલે થયેલા પાક નુકસાન મામલે સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર SDRF અને મુખ્યમંત્રી પાક સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય લાભાર્થી ખેડૂતોને આપવામાં આવનાર છે.

ABOUT THE AUTHOR

...view details