ગુજરાત

gujarat

ABVPના પ્રદેશ સહમંત્રી ગૌતમ ગામીત સાથે ETV BHARATની ખાસ વાતચીત

By

Published : Jan 21, 2021, 8:46 PM IST

મહેસાણા ખાતે ETV BHARAT દ્વારા ABVP સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ પર સરકારની રાજનીતિ અને ભ્રષ્ટાચાર પર ABVP સવાલ ઉઠાવશે.

ETV BHARAT
ABVPના પ્રદેશ સહમંત્રી ગૌતમ ગામીત સાથે ETV BHARATની ખાસ વાતચીત

  • અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
  • મહેસાણા ખાતે ABVP દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનું આયોજન
  • રાજ્યમાં કોરોના કાળથી બંધ તમામ શૈક્ષણિક સંસ્થાઓ રાબેતા મુજબ શરૂ કરવા કરાઈ માગ
  • સામાજીક અને શૈક્ષણિક મુદ્દાઓ પર ABVP કરશે સરકારમાં રજૂઆત
  • સરકારની યોજનામાં વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળ્યા હોવાથી સરકારમાં રજૂઆત
  • લવજેહાદનો કાયદો ગુજરાતમાં લાવવા ABVPએ બેડું ઝડપ્યું
    ABVPના પ્રદેશ સહમંત્રી ગૌતમ ગામીત સાથે ETV BHARATની ખાસ વાતચીત

મહેસાણાઃ શહેરમાં આજે ગુરુવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાજેતરમાં યોજાયેલા 52માં અધિવેશનના ચર્ચિત મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ABVPના પ્રદેશ સહમંત્રી ગૌતમ ગામીત દ્વારા ETV BHARAT સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં ABVPએ આગામી સમયમાં રાજ્યની અંદર તમામ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય માટે સરકારમાં રજૂઆત કરવાનું જણાવ્યું હતું.

રાજકારણ મિશ્રિત અને ભ્રષ્ટાચાર રહિત શિક્ષણને નૈતિક ક્યારે બનાવાશે?

ABVP ગુજરાત રાજ્યમાં લવજેહાદનો કાયદો બનવવામાં આવે તેવી માગ કરવાનું છે, તો આજે ગુરુવારે જ્યારે શિક્ષણ મોંઘુ બન્યું છે અને ભ્રષ્ટાચાર શિક્ષણને ડામી રહ્યો છે ત્યારે ABVPની આ મુદ્દે શું કાર્યવાહી રહેશે તે માટે પૂછતાં તેમને શિક્ષણમાં રાજકારણ અને ભ્રષ્ટાચારનો વિરોધ નોંધવતા શિક્ષણમાં સરકારે નૈતિકતા દાખવવી જોઈએ સાથે જ છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને એ માટે ABVP પણ સતત સરકાર પાસે માગ કરી વિદ્યાર્થીઓના હિત માટે કામ કરશે તેવી ખાતરી આપી છે.

ABOUT THE AUTHOR

...view details