ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, મહેસાણામાં 6 ઇંચ વરસાદ, ખેડૂતો-ખેલૈયાઓ ચિંતાતુર - mahesana in navratri

મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ થયો છે. જિલ્લાના વિસનગર, વિજાપુર, મહેસાણા કડી, બેચરાજી સહિતના પંથકમાં વરસાદ થયો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 4 કલાકમાં 6.61 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતો અને નવરાત્રિ ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે. આ વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી છે. પાટણમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેથી ઠેર ઠેર પાણી ભરાયા હતાં. પાટણ શહેરનું આનંદ સરોવર વરસાદી પાણીથી છલકાઈ ગયું છે. સાબરકાંઠાના ઇડરમાં સાંબેલાધાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઇડર તાલુકાના મૂડેટીથી ઢીંચણિયા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વર્યા હતાં. જેથી સ્કૂલમાં જવા નીકળેલા વિદ્યાર્થીઓ અધ વચ્ચે જ રોકાઈ ગયાં હતાં.

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, મહેસાણામાં 6.61 ઇંચ વરસાદ, ખેડૂતો-ખેલૈયાઓ ચિંતાતુર

By

Published : Sep 28, 2019, 12:55 PM IST

Updated : Sep 28, 2019, 1:09 PM IST

મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ

ઊંઝા, વિસનગર, ખેરાલુ અને વડનગરમાં ધોધમાર વરસાદ

વહેલી સવારથી 4 કલાકમાં 6.61 ઇંચ વરસાદ

  • ઊંઝામાં 1.88 ઇંચ વરસાદ
  • ખેરાલુમાં 1.18 ઇંચ વરસાદ
  • વડનગરમાં 1.02 ઇંચ વરસાદ
  • વિસનગરમાં 1.45 ઇંચ વરસાદ
  • સતલાસણા, મહેસાણા, અને વિજાપુરમાં અડધો ઇંચથી ઓછો વરસાદ
  • કડી,જોટાણા અને બેચરાજી તાલુકામાં નહિવત વરસાદ
  • જિલ્લામાં વહેલી સવાર થી સાર્વત્રિક વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, મહેસાણામાં 6.61 ઇંચ વરસાદ, ખેડૂતો-ખેલૈયાઓ ચિંતાતુર
    ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, મહેસાણામાં 6.61 ઇંચ વરસાદ, ખેડૂતો-ખેલૈયાઓ ચિંતાતુર

આ વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી છે. પાટણમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેથી ઠેર ઠેર પાણી ભરાયા હતાં. પાટણ શહેરનું આનંદ સરોવર વરસાદી પાણીથી છલકાઈ ગયું છે. સાબરકાંઠાના ઇડરમાં સાંબેલાધાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઇડર તાલુકાના મૂડેટીથી ઢીંચણિયા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વર્યા હતાં. જેથી સ્કૂલમાં જવા નીકળેલા વિદ્યાર્થીઓ વચમાં જ રોકાઈ ગયાં હતાં.

નવરાત્રી મહોત્સવોની તૈયારીઓ રંગમાં વરસાદે ભંગ પાડ્યો છે, ત્યારે સીઝનના અંતમાં મહેસાણા જીલ્લાના રહીશો અને ખેડૂતો માટે વરસાદ મુશ્કેલી સર્જી રહ્યો છે ,જેમાં ખેડૂતોના ઉભા પાક બાજરી, કપાસ, તલ અને કઠોળ સહિતના પાકો જમીન પર પડી જતા કૃષિમાં પણ નુકસાન થયુ છે, જ્યારે લોકો પણ હવે મેઘરાજાને વરસાદને વિરામ લેવા આજીજી કરી રહ્યા છે..

Last Updated : Sep 28, 2019, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details