ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝાની પાંજરાપોળમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ

મહેસાણા જિલ્લામાં ઊંઝા ખાતે પાંજરોપોળમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. આથી પાંજરાપોળમાં પડેલો ઘાસચારો બળી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે આવીને આગને કાબૂમાં લીધી હતી.

By

Published : Mar 19, 2021, 10:15 PM IST

ઊંઝાની પાંજરાપોળમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાક
ઊંઝાની પાંજરાપોળમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાક

  • ઊંઝા પાંજરાપોળમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ
  • પાંજરાપોળમાં આગ લાગવાનું કારણ હજૂ પણ અકબંધ
  • ઊંઝા સહિતની નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી
પાંજરાપોળમાં આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ

આ પણ વાંચોઃસુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગી

મહેસાણાઃ ઊંઝા ખાતે આવેલા પાંજરાપોળમાં બપોરે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પાંજરાપોળમાં ઘાસચારો ભરવાના ગોડાઉનમાં અગમ્ય કારણો સર લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઊંઝા નગરપાલિકા સહિત વિસનગર વડનગર મહેસાણા સહિતથી 4 ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ઘટનાસ્થળે આવેલા ફાયરબ્રિગેડે ભારે જહેમત ઉઠાવી ઘાસચારામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઊંઝા સહિતની નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી

આ પણ વાંચોઃસાવલી તાલુકાના ગોઠડા ગામે શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં રીએક્ટર ફાટતાં ભીષણ આગ

તંત્રએ તપાસ હાથ ધરી..!

પાંજરાપોળમાં લાગેલી આગ મામલે ફાયર વિભાગ સહિત તંત્રએ આગ લાગવાનું કારણ જાણવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details