- ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બેચરાજીથી દર્શન કરી સરપંચો સાથે સંવાદ કર્યો
- પાટીલે બહુચર માતાજીના દર્શન કરી સરપંચ સાથે રાજ્યવ્યાપી સંવાદ કર્યો
- કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની ગ્રામ્ય વિસ્તારમાં માહિતી પહોંચાડવાનો પ્રયાસ
- સી.આર.પાટીલનો શંખલપુર ખાતે સરપંચો સાથે સંવાદ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બેચરાજીથી દર્શન કરી સરપંચો સાથે સંવાદ કર્યો
- સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય પ્રજા સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય
મહેસાણાઃ જિલ્લો વર્તમાન સરકારમાં રહેલા પદાધિકારીઓનો ગઢ હોવાની સાથે-સાથે રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે, ત્યારે આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજોની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા જન જન સુધી પહોંચી માઈક્રો પ્લાનિંગ સાથે તૈયારીઓ કરવામાં આવી છે.