સાવલીની મહીસાગર નદીમાં બે આશાસ્પદ યુવક તણાયા - અક્ષય કંધારનો મૃતદે
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા લાછનપુર મહીસાગર કિનારે નાહવા આવેલા વડોદરાના 6 યુવકો પૈકી 2 યુવકો પાણીમાં તણાઇ જતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાલ ચાલી રહી છે.
રવિવારની રજાની મજા માણવા માટે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરની મહીસાગર નદી નાવા માટે પહોંચેલા વડોદરાની એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા 6 મિત્રો પૈકી 2 યુવકો વહેતા પાણીમાં તણાઈ ગયા હતા. આ અંગે સ્થાનિક તરવૈયાઓને જાણ થતા તેઓએ યુવકોની શોધખોળ હાથ ધરી હતી. કલાકો સુધી યુવકની જાણ નહીં મળતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જ્યારે ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા તણાયેલા બંને યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં ૨૪ વર્ષીય અક્ષય કંધારનો મૃતદેહ ફાયરબ્રિગેડને મળી આવ્યો હતો.જ્યારે ચેતન મોરપાણી નામના યુવકની ફાયર બ્રિગેડે શોધખોળ આરંભી હતી.આ બંને યુવકો મુંબઈના રહેવાસી હતા. અને હાલ વડોદરાની એલ એન્ડ ટી કંપનીમાં ફરજ બજાવતા હતા.