ભારતીય મજદૂર સંઘ દ્વારા પર્યાવરણને અનુલક્ષી કલેક્ટરને આવેદનપત્ર - Gujarati News
મહીસાગરઃ સમગ્ર વિશ્વમાં પ્રદૂષણની સમસ્યા લોકો માટે વિકટમાં વિકટ સમસ્યા બની છે. આજકાલ દેશના વિકાસ માટે નવી-નવી ટૅકનોલોજી વસાવવા જંગલમાં તથા આજૂ-બાજૂ વૃક્ષને કાપી તાપમાનમાં વધારો કરે છે. તેમજ હવા-પાણી દૂષિત કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ગંભીર બીમારીને આમંત્રણ કરે છે.
![ભારતીય મજદૂર સંઘ દ્વારા પર્યાવરણને અનુલક્ષી કલેક્ટરને આવેદનપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3554607-892-3554607-1560478364172.jpg)
આવેદનપત્ર
જેના અનુસંધાનમાં ભારત સુરક્ષા અને પર્યાવરણ મંચ દ્વારા ગુજરાત પ્રદેશની બેઠક 25 ઓગસ્ટે નડિયાદ ખાતે ભારતીય મજદૂર સંઘ કાર્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં પ્રદેશ તથા કેન્દ્રના પદાધિકારીઓ દ્વારા પર્યાવરણને અનુલક્ષીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં હતા. ગુરુવારે મહીસાગર જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા પર્યાવરણ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.