મહીસાગર જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના - not leave the headquarters
લુણાવાડાઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદના સંદર્ભમાં મહીસાગર જિલ્લાના તમામ કચેરીઓના અધિકારીઓ/કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના તમામ કટ્રોલરૂમ કાર્યરત રહે તેની તજવીજ કરવી તેમજ સંબંધિત અધિકારીઓને સાવચેતીના તમામ પગલાં લેવા તેમજ લોકોને સલામત સ્થળે રહેવા સુચના આપવામાં આવી છે.

zdvgd
વધુમાં જણાવ્યુ હતુ કે, આપના વિસ્તારમાં ભારે કે અતિભારે વરસાદ પડે કે અન્ય કોઈ ઘટના બને તો તે અંગેની માહીતી ટેલીફોન દ્વારા તુરંત જ અત્રેના જિલ્લા કટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર (1077) અથવા (02674-252300/301) પર આપવી, તેમજ વિગતવાર અહેવાલ જિલ્લા કટ્રોલ રૂમ પર મોકલી આપવા જણાવવામાં આવ્યુ છે.