મહીસાગરમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર હેઠળ નહીં , રિકવરી રેટ 95.2 ટકા - Hospital
કોરોના વાઇરસની સામે લડવા માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અનેક વિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લામાં કોરોનાની સ્થિતિમાં હાલમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 3 દર્દીઓ સાજા થતાં તેઓને ડીસ્ચાર્જ કરાયા છે. જેમાં સંતરામપુર તાલુકાના 2 અને ખાનપુર તાલુકાના 1 દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે ડીસ્ચાર્જનો રિકવરી રેટ 95.2 ટકા પર પહોંચ્યો છે.
![મહીસાગરમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર હેઠળ નહીં , રિકવરી રેટ 95.2 ટકા કોવિડ-19 હોસ્પિટલ ખાતે એકપણ દર્દી સારવાર હેઠળ નથી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7587963-1021-7587963-1591960362010.jpg)
કોવિડ-19 હોસ્પિટલ ખાતે એકપણ દર્દી સારવાર હેઠળ નથી
મહીસાગર : જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના (કોવિડ-19)ના 125 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ગઈકાલે 3 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સંતરામપુર તાલુકાના 2 અને ખાનપુર તાલુકાના 1 દર્દીનો સમાવેશ થાય છે. જિલ્લામાં કોરોના સંક્રમણને પગલે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.
જિલ્લામાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી