ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં વધુ 9 કોરોનાના કેસ નોંધાયા, 21 દર્દી ડિસ્ચાર્જ - Corona cases in mahisagar today

મહીસાગર જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારના રોજ જિલ્લામાં નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં નવા નોંધાયેલ 9 કેસમાં બાલાસિનોરમાં 6 કેસ, લુણાવાડામાં 2 અને કડાણામાં 1 કેસ નોંધાયો છે. આ સાથે કેસની કુલ સંખ્યા 554 થઈ છે. ઉપરાંત, 21 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

મહીસાગર જિલ્લામાં વધુ 9 કોરોના કેસ નોંધાયા, 21 દર્દીને ડીસ્ચાર્જ કરાયા
મહીસાગર જિલ્લામાં વધુ 9 કોરોના કેસ નોંધાયા, 21 દર્દીને ડીસ્ચાર્જ કરાયા

By

Published : Aug 16, 2020, 10:34 PM IST

મહિસાગર: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે. રવિવારના રોજ જિલ્લામાં વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે જિલ્લામાં સારા સમાચાર એ પણ છે કે, રવિવારના રોજ 21દર્દીઓ સાજા થતાં તેઓને ડીસ્ચાર્જ કરાયા છે. આ સાથે અત્યાર સુધીમાં 444 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.

હાલ જિલ્લામાં 78 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે કુલ 32 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 12,683 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 554 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

મહીસાગર જિલ્લામાં કોરોનાના કારણે 12 દર્દીઓ K.S.P. હોસ્પિટલ બાલાસિનોર, 6 દર્દી જનરલ હોસ્પિટલ લુણાવાડા, 22 દર્દી હોમ આઈસોલેશન, 9 દર્દી શીતલ નર્સિંગ હોમ લુણાવાડા, 9 દર્દીઓ SDH સંતરામપુર તેમજ અન્ય 20 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઇ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા પૈકી 75 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દી ઓક્સિજન પર તેમજ 1 દર્દી વેન્ટીલેટર પર છે.

ABOUT THE AUTHOR

...view details