ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahisagar Politics News: ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓની ઘરવાપસી - Balasinore constituency

મહીસાગર જિલ્લામાં લુણાવાડા વિધાનસભા બેઠક ભાજપ માટે હારનું કારણ બનનાર જે.પી.પટેલ તેમજ બાલાસિનોર બેઠક કોંગ્રેસ માટે હારનું કારણ બનનાર ઉદેસિંહ આજે કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ભાજપ મજબૂત પક્ષ બનશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Mahisagar Politics : ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓની ઘરવાપસી
Mahisagar Politics : ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓની ઘરવાપસી

By

Published : Jun 6, 2023, 5:03 PM IST

Updated : Jun 6, 2023, 6:27 PM IST

મહીસાગર:વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સમીકરણ બગાડનાર નેતાને હવે ભાજપ પોતાના પક્ષમાં લઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં મહીસાગરના લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ટિકિટ ન મળતા ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનાર જયપ્રકાશ પટેલ ઉર્ફ જે.પી.પટેલની આજે ભાજપમાં ઘરવાપસી થઈ. તેમજ જિલ્લાની બાલાસિનોર બેઠક માટે કોંગ્રેસમાં ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનારા ઉદેસિંહ ચૌહાણે પણ આમ આદમી પાર્ટી છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

આચાર્ય સંઘના પ્રમુખ જે.પી.પટેલ: તેઓ મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂકેલા તેમજ જે વખતે મહીસાગર જિલ્લો અસ્તિત્વ ન હતો ત્યારે પણ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓએ લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ટિકિટની માંગણી કરી હતી. પરંતુ ભારતીય જનતા પક્ષ દ્વારા તેમને ટિકિટ ફાળવવામાં આવી ન હતી. ત્યારે તે સમયના લુણાવાડાના સિટીંગ ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને રિપીટ કરવામાં આવ્યા હતા. જેના કારણે જે.પી.પટેલે ભાજપમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી લુણાવાડા વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. અને છેવટે આ જંગમાં અપક્ષ ઉમેદવાર જે.પી.પટેલના કારણે ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકનો પરાજય થતાં ભાજપને લુણાવાડા સીટ ગુમાવી પડી હતી. આ સીટ પર કોંગ્રેસના ગુલાબસિંહનો વિજય થયો હતો.

કોણ છે ઉદેસિંહ ચૌહાણ ?:બીજીતરફ બાલાસિનોર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ટિકિટ નહિ મળે તેવો ખ્યાલ આવી જતા મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ઉદેસિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ બાલાસિનોર વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળતા ચૂંટણી લડ્યા હતા. જેના કારણે કોંગ્રેસના સિટીંગ ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણની હાર થઈ હતી.

નેતાઓની ઘરવાપસી: ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર જે.પી.પટેલ અને તેમના સમર્થનમાં રહેનાર નગરપાલિકા સદસ્યો તેમજ કાર્યકરોને ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન પ્રચારમાં ભાજપના મોટા નેતાઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને ક્યારે માફ નહિ કરવામાં આવે તેવા ભાષણો કરવામાં આવ્યા હતા. વિધાનસભા ચૂંટણી પુરી થયાને હજુ છ મહિના જેટલો સમય થયો છે. ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓની ફરીથી ભાજપ દ્વારા પક્ષમાં સમાવવામાં આવ્યા છે.

  1. Jayprakash Patel Join BJP : આપને મધ્ય ગુજરાતમાં ફટકો, ઉદયસિંહ ચૌહાણ અને લૂણાવાડાના અપક્ષ ઉમેદવાર જેપીએ કેસરિયાં કર્યાં
  2. કૉંગ્રેસના ઉદેસિંહ હવે AAPના થયા, ઈટાલિયાએ કેજરીવાલને શ્રીરામ અને ભાજપને રાવણ ગણાવ્યા
Last Updated : Jun 6, 2023, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details