ગુજરાત

gujarat

By

Published : Aug 17, 2020, 5:50 PM IST

ETV Bharat / state

મહીસાગર: અર્બન અને રૂરલ કન્ટેનમેન્ટ ઝોનમાં ડોર ટુ ડોર સર્વે અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર દ્વારા કોરોના સંક્રમણ રોકવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત કોરોના પોઝિટિવ દર્દી હોય તેવા કન્ટેનમેન્ટ ઝોનમમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત SPO2ની ચકાસણી પણ કરવામાં આવી હતી.

ઉકાળાનું વિતરણ
ઉકાળાનું વિતરણ

મહીસાગરઃ કોરોનાની મહામારી જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે કલેકટર આર બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

સંતરામપુર અર્બન તથા રૂરલ કન્ટેન્ટમેંટ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

સંતરામપુર અર્બનના મહુડી ફળિયા તથા પ્રાથમિક આરોગ્યર કેન્દ્રા વિરણિયા દ્વારા કાકાના ચમારિયાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં આરોગ્ય ટીમ દ્વારા તાલુકા લાયઝન અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પોઝિટિવ આવેલા અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત SPO2ની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય, તે માટે આયુર્વેદિક ઉકાળાનું તેમજ જરૂરિયાતમંદોને પેરાસિટામોલ, એઝીથોમાયસીન, વીટામીન-C, ઝીંક, ડોકસીસાયકલીનની ગોળીઓનું વિતરણ કરી દવા કઇ રીતે લેવી તે અંગેની સમજ આપવામાં આવી હતી.

સંતરામપુર અર્બન તથા રૂરલ કન્ટેન્ટમેંટ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

આ ઉપરાંત તમામને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.

સંતરામપુર અર્બન તથા રૂરલ કન્ટેન્ટમેંટ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

ABOUT THE AUTHOR

...view details