ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, કુલ સંખ્યા 541 થઈ - Mahisagar health depar

મહિસાગર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારના રોજ જિલ્લામાં નવા વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં નવા નોંધાયેલા 7 કેસમાં લુણાવાડામાં 6 કેસ, અને ખાનપુરમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે કેસની કુલ સંખ્યા 541 થઈ ગઈ છે.

મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, કુલ સંખ્યા 541થઈ
મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, કુલ સંખ્યા 541થઈ

By

Published : Aug 14, 2020, 7:50 PM IST

મહીસાગર: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શુક્રવારના રોજ જિલ્લામાં નવા વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત, જીલ્લામાં 5 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં 420 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.

હાલ જીલ્લામાં 89 દર્દીઓ એક્ટીવ છે. અત્યાર સુધીમાં જીલ્લામાં કોરોના સંક્રમણને કારણે કુલ 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 12,342 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમજ જિલ્લાના 516 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.


જીલ્લામાં કોરોના પોઝિટિવને કારણે 18 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 14 દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ-લુણાવાડા, 27 દર્દી હોમ આઈસોલેશન, 10 દર્દી શીતલ નર્સીંગ હોમ લુણાવાડા, 7 દર્દી SDH-સંતરામપુર તેમજ અન્ય 13 દર્દીઓ જીલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 86 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દીઓ ઓક્સિજન પર તેમજ 1 દર્દી વેન્ટીલેટર પર છે.

ABOUT THE AUTHOR

...view details