ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટઃ 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 693

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે જિલ્લામાં 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કુલ 370 લોકો હાલ હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને કારણે કુલ 36 લોકોએ જીવ ગુમાવ્યો છે.

By

Published : Sep 1, 2020, 11:03 PM IST

મહીસાગર કોરોના અપડેટ
મહીસાગર કોરોના અપડેટ

મહીસાગર: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારના રોજ જિલ્લામાં કોરોનાના 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોર-1, સંતરામપુરમાં-3, લુણાવાડા-3, વીરપુરમાં-1 અને કડાણામાં-1 એમ કુલ 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા પોઝેટીવ કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 693 થઈ છે.

મહીસાગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 693
  • કુલ સક્રિય કેસ - 71
  • કુલ ડિસ્ચાર્જ - 586
  • કુલ મોત - 36
  • ઓક્સિજન પર હોય તેવા દર્દી - 5
  • વેન્ટિલેટર પર હોય તેવા દર્દી - 1

મહીસાગર જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારના રોજ જિલ્લામાં કોરોનાના 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. મંગળવારે વધુ 11 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધી જિલ્લામાં 586 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 36 લોકોએ કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી જિલ્લામાં 370 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

મહીસાગર જિલ્લામાં કુલ 71 કોરોના સંક્રમિત દર્દીમાંથી 21 દર્દીઓ KSP હોસ્પિટલ બાલાસિનોર, 10 દર્દી જનરલ હોસ્પિટલ-લુણાવાડા, 3 દર્દી શીતલ નર્સિંગ હોમ-લુણાવાડા, 6 દર્દીઓ SDH-સંતરામપુર, 20 દર્દી હોમ આઈસોલેશન તેમજ અન્ય 11 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ 65 દર્દીઓ સ્થિર હાલતમાં છે. જ્યારે 5 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. હાલ જિલ્લામાં કુલ 71 કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details