મહીસાગર વન વિભાગ તરફથી મળેલ લક્ષ્યાંક વડતર વનીકરણ મોડેલ M2 હેઠળ ગજાપગીના મુવાડા ફરતે 16300 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચારખાડાની વચ્ચે 5,000 જેટલા બીજનું વાવેતરકરવામાં આવ્યું છે. જિલ્લાના બાલાસિનોર તેમજ વિરપુર તાલુકામાં 2 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
મહીસાગર વનવિભાગે ગોચર જમીનમાં રોપાઓ અને બીજનું વાવેતર કર્યુ - mahisagr
મહીસાગર : રાજ્ય સરકારે છેલ્લા 15 વર્ષથી સાંસ્કૃતિક વનોના નિર્માણથી લઇ ઘર આંગણે વૃક્ષારોપણના મહત્વનને પ્રાધાન્યન આપ્યુ છે. ગુજરાતને હરિયાળુ ગુજરાત બનાવવાનો પ્રારંભ કર્યો છે. વૃક્ષ પ્રેમ અને પ્રકૃતિ પ્રેમ દ્વારા પર્યાવારણની જાળવણી માટેનું જનઅભિયાન સરકારે પ્રારંભ કર્યુ છે. વનનું માનવ જીવનમાં મહત્વ અને અનિવાર્યતા બંનેને સમજી સરકારે ગુજરાતમાં વિવિધ વનો ઉભા કર્યા છે. ગુજરાતી પ્રજામાં માત્ર પર્યાવરણનું જતન જ નહિ સામાજિક અને રાષ્ટ્રીય ભકિતને પણ ચિરંજીવ બનાવવાની પ્રશંસનીય કામગીરી કરી છે.
જેમાં ગરમાળો, કણજ, સાગ, શીશમ, ખેર, વાંસ, અને સાદળના રોપાઓ અંદાજે 19 હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યા છે. જેના કારણે પર્યાવરણમાં જે ગ્લોબલ વોર્મિંગ છે. તેમાં સુધારો થાય તેવા મહીસાગર જિલ્લા વન વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વન વિભાગ દ્વારા સમયાંતરે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે વરસાદી મોસમમાં મહીસાગર વનવિભાગે માર્ગની આસપાસ વૃક્ષોના સેંકડો રોપાનું વાવેતર કર્યુ છે. ચોમાસાની સિઝન પહેલા તો ખાસ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. પડતર અને ગૌચર જમીનોમાં સરકાર દ્વારા આ કામગીરીથી પર્યાવરણ પ્રેમીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.