ગુજરાત

gujarat

બાલાસિનોરમાં 2 મે સુધી લૉકડાઉન

By

Published : Apr 29, 2021, 3:49 PM IST

મહીસાગરમાં બાલાસિનોરના શહેર અને તાલુકા વિસ્તારમાં કોરોનાને અટકાવવા અને કોરોનાની ચેન તોડવા એક બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાન્ત અધિકારીઓ, વેપારીઓ, પદાધિકારીઓ અને નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં 28 એપ્રિલથી 2 મે સુધી સંપૂર્ણ લૉકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, આ દિવસો દરમિયાન હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, દૂધ, શાકભાજી અને ફ્રૂટ્સ અને પેટ્રોલ પંપ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

  • બાલાસિનોરના પ્રાન્ત અધિકારીઓ, વેપારીઓએ યોજી બેઠક
  • બેઠકમાં 28 એપ્રિલથી 2 મે સુધી લૉકડાઉનનો નિર્ણય કરાયો
  • લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

બાલાસિનોર: શહેર અને તાલુકા વિસ્તારોમાં કોરોનાની ચેન તોડવા નગરપાલિકાના પ્રાન્ત અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં વેપારીઓ, પદાધિકારીઓ અને નગરના અગ્રણીઓએ 28 એપ્રિલથી 2 મે સુધી લૉકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આ દિવસો દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
આ પણ વાંચોઃ જામનગરમાં બુધવારથી મિની લોકડાઉન શરૂ
બેઠકમાં 28 એપ્રિલથી 2 મે સુધી લૉકડાઉનનો નિર્ણય કરાયો

કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા દુકાનદારની દુકાન સીલ થશે

લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવા ચાલુ રહેશે. જો લૉકડાઉનના આ દિવસો દરમિયાન કોઈ વ્યક્તિ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડશે તો તેની દુકાનને સીલ કરવામાં આવશે. આ સાથે જ ચીફ ઓફિસરે તમામ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.

બાલાસિનોરના પ્રાન્ત અધિકારીઓ, વેપારીઓએ યોજી બેઠક

આ પણ વાંચોઃચીખલીના 68 ગામમાં 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

નગરપાલિકાના ચીફ ઓફિસરે અનેક સૂચનો કર્યા

બાલાસિનોર શહેરી વિસ્તારોમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે અનેક સૂચનો આપ્યા હતા. આ બાબતે તંત્રએ વોચ ગોઠવી છે. કોઈ પણ દુકાનદાર કોરોના ગાઇડ લાઇનનો ભંગ કરશે તો જેતે દુકાનને 21 દિવસ માટે સીલ કરવામાં આવશે તેવું બાલાસિનોર નગર પાલિકા ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details