ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનપુરના બાકોર ગામમાં જાહેરનામા ભંગ બદલ જવેલર્સના માલિકને રૂપિયા 2000નો દંડ - મહીસાગર

મહીસાગરમાં નાગરિકોને કોરોનાથી સુરક્ષિત રાખવા તંત્ર દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલેક્ટરે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે સૂચના પણ આપી દીધી છે તેમ છતાં અનેક લોકો જાહેરનામાનું પાલન નથી કરી રહ્યા. આવી જ એક ભૂલ કરી છે વ્રજ જ્વેલર્સના માલિકે. આ જ્વેલર્સમાં લોકોએ માસ્ક ન પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોવાથી પોલીસે જ્વેલર્સના માલિકને રૂ. 2 હજારનો દંડ ફટકાર્યો હતો.

મહીસાગરમાં વ્રજ જ્વેલર્સે કોરોના ગાઈડલાઈનનું પાલન ન કર્યું, રૂ. 2 હજાર દંડ ભર્યો
મહીસાગરમાં વ્રજ જ્વેલર્સે કોરોના ગાઈડલાઈનનું પાલન ન કર્યું, રૂ. 2 હજાર દંડ ભર્યો

By

Published : Nov 27, 2020, 10:26 PM IST

  • મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામમાં જાહેરનામાનો કડક અમલ
  • કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ જવેલર્સ માલિક પાસેથી રૂ. 2 હજારનો દંડ વસૂલાયો
  • મહીસાગરવાસીઓ સાવધાન... જાહેરનામાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે

મહીસાગરઃ જિલ્લામાં નાગરિકોને કોરોનાથી સુરક્ષિત રાખવા તંત્ર દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલેક્ટરે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે સૂચના પણ આપી દીધી છે તેમ છતાં અનેક લોકો જાહેરનામાનું પાલન નથી કરી રહ્યા. આવી જ એક ભૂલ કરી છે વ્રજ જ્વેલર્સના માલિકે. આ જ્વેલર્સમાં લોકોએ માસ્ક ન પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોવાથી પોલીસે જ્વેલર્સના માલિકને રૂ. 2 હજારનો દંડ ફટકાર્યો હતો.

મહીસાગરમાં વ્રજ જ્વેલર્સે કોરોના ગાઈડલાઈનનું પાલન ન કર્યું, રૂ. 2 હજાર દંડ ભર્યો

તાલુકા અને પોલીસ અધિકારીઓએ ગામની મુલાકાત લીધી
આ સમગ્ર કામગીરીના ભાગરૂપે ખાનપુર તાલુકાના લાયઝન અધિકારી, મામલતદાર અને પોલીસ ઈન્સ્પેકટરની સંયુકત ટીમ દ્વારા તાલુકાના બાકોર ગામની મુલાકાત લેવામાં આવી હતી. કન્ટેનમેન્ટ વિસ્તા‍રમાં જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવ્યો હતો. જોકે, કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ વ્રજ જ્વેલર્સના માલિક પાસેથી પોલીસે રૂ. 2 હજારનો દંડ વસૂલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details