મહીસાગર: જમાલી મસ્જિદના આમિલ સાહેબ હુજેફાભાઈ નોમાનીએ કોરોના વાઇરસ સામે સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરી હતી અને જનજાગૃતિ સંદેશ આપતા કહ્યુ કે, અમારા ધર્મગુરૂ સૈયદનાએ પણ ખાસ માર્ગદર્શન આપ્યુ છે.
મહીસાગરમાં જમાલી મસ્જિદના આમિલ સાહેબે કોરોના મહામારીથી સાવચેતી રાખવા નાગરિકોને કરી અપીલ - આમિલ સાહેબ હુજેફાભાઈ
લુણાવાડા જમાલી મસ્જિદના આમિલ સાહેબ હુજેફાભાઈ નોમાનીએ કોરોના વાઇરસ સામે સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરી જનજાગૃતિ સંદેશ આપતા કહ્યું કે, આપણે સૌ સાથે મળી આ મહામારીનો મુકાબલો કરીએ અને અમે ખુદાને દુઆ કરીએ છીએ કે આ મહામારીથી જલદીથી દુર થઇએ.
![મહીસાગરમાં જમાલી મસ્જિદના આમિલ સાહેબે કોરોના મહામારીથી સાવચેતી રાખવા નાગરિકોને કરી અપીલ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6516002-838-6516002-1584961754715.jpg)
આ તકે તેઓએ સરકારના પ્રયાસોમાં સહભાગી થઇ તેમની સુચનાઓનું પાલન કરવા જણાવ્યું છે અને કહ્યું કે આપણે સૌ સાથે મળી આ મહામારીનો મુકાબલો કરવો જેમ કે હાથ સાબુથી સારી રીતે ધોવા અને ત્યારબાદ જ શરીરના અંગો આંખ, મોં અને નાકને સ્પર્શ કરવા, છીંક કે ઉધરસ આવતી વખતે મોં રૂમાલથી ઢાંકવું, તેમજ એકબીજાથી અંતર રાખવું,અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ચેપી વ્યક્તિથી દૂર રહેવું. આ ઉપરાંત ભીડવાળી જગ્યાએ જવું ટાળવું, રોગથી ભય ન પામતા સૌએ સાથે મળી આ વાઇરસથી મુક્તિ મેળવીએ અમે ખુદાને દુઆ કરીએ છીએ કે આ મહામારીથી જલદીથી દુર થઇએ.