આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાના બાળકોના આરોગ્ય જતન માટે દર વર્ષે ઉજવાતો આ કાર્યક્રમ સામાન્ય દર્દોથી માંડી અતિ ગંભીર વ્યાધિઓ ધરાવતા બાળકો માટે મોટી સહાય પ્રદાન કરે છે. કેન્સર, હ્યદયરોગ, ટીબીથી માંડી અંધત્વ, મૂક-બધિર જેવા દર્દોથી પીડિત બાળકોને રાજય સરકાર નિઃશુલ્ક નિદાન, સારવાર, સહાય પૂરી પાડે છે.
25 મી નવેમ્બર 2019થી શરૂ થયેલા શાળા આરોગ્ય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં કુલ 2.97 લાખ બાળકો 0થી 18 વર્ષના શાળાએ જતાં ન જતાં, આંગણવાડી, મદ્રેસા, ચિલ્ડ્રન હોમ, જુવેનાઈલ હોમ, આશ્રમ શાળાના બાળકોની 31મી જાન્યુઆરી 2020 સુધી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ થયેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જેવા અંતરિયાળ જિલ્લામાં ખામીવાળા બાળકોને સારવાર મળી રહે તે માટે જિલ્લા પંચાયત મહીસાગર, GCS મેડિકલ કૉલેજ, જનરલ હોસ્પિટલ લુણાવાડાના સહયોગથી બાળરોગ નિષ્ણાંત, નાક, કાન, ગળા, ચામડી, આંખ, દાંતના રોગના નિષ્ણાંતો દ્વારા વિવિધ કેમ્પ યોજવામાં આવ્યા હતા.