- મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ 14 કરોડ રસ્તાના કામો માટે મંજૂર
- લુણાવાડા અને ખાનપુર તાલુકાના કાચા રસ્તાઓ ડામરના બનશે
- આ માર્ગો ડામર રોડના બનતા નાગરિકોને અવર-જવર માટે સરળતા રહેશે
મહીસાગર : રાજયના મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વ હેઠળ કોરોના મહામારી વચ્ચે પણ રાજ્યના વિકાસની ગતિ અવિરત જાળવી રાખી છે. રાજ્ય સરકાર વિકાસના અનેક કામો હાથ ધરી રહી છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ( Mukhyamantri Gram Sadak Yojana ) હેઠળ મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર તાલુકાના રૂપિયા 14 કરોડના કાચાથી ડામરના રસ્તાના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુરના રસ્તા માટે લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશ સેવક દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મંજૂર કરેલી ગ્રાન્ટમાંથી કયા રોડ બનશે