વિરપુર તાલુકાના લીંબરવાડાના જમનાવત વિસ્તારનો મિલન રાયભણ ઠાકોર નામના સગીરની લીંબરવાડા ગામની સીમમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય. આ મૃતદેહ 15 વર્ષના મિલન ઠાકોરનો હોવાનું ખુલ્યું હતું.
લીંબરવાડા ગામમાંથી તરૂણનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ - મૃતદેહ
મહિસાગરઃ વિરપુર તાલુકાના લીંબરવાડા ગામે એક સગીરનો મૃતદેહ મળી આવ્યો છે. ગામમાંથી 15 વર્ષના સગીરનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.
![લીંબરવાડા ગામમાંથી તરૂણનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ dead body found in limbarvada village virpur town of mahisagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5787124-thumbnail-3x2-virpur.jpg)
લીંબરવાડા ગામમાંથી તરૂણનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ
લીંબરવાડા ગામમાંથી તરૂણનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ
મિલન સરસ્વતી હાઈસ્કૂલ વિરપુર, 10મા ધોરણનો વિદ્યાર્થી છે. જો કે, આ મૃતદેહ મળી આવ્યા પછી હત્યા છે કે આત્મહત્યા તેનો ખુલાસો થયો નથી. મિલનના પરિવારજનોને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
આ ઘટના બાદ વિરપુર પોલીસ સ્થળ પર આવી મૃતદેહનો કબ્જો મેળવી અને પોસમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. વિરપુર પોલીસના મતે પોસ્ટમોર્ટમ બાદ જ વિદ્યાર્થીની હત્યા થઈ છે, કે કેમ તેનો ખુલાસો થઈ શકશે.