ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાનો કહેરઃ લુણાવાડામાં બપોરના 3 કલાક બાદ જ્વેલર્સ શોપ બંદ રહેશે

લુણાવાડા સોની વેપારી એસોસિએશન દ્વારા મંગળવારથી બપોરે 3 કલાક સુધી જ વેપાર ધંધા ચાલુ રાખવાનો લેવામાં આવ્યો છે. કોરાનાનું સક્રમણ વધુ ફેલાય નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરના 3 કલાક બાદ તમામ સોની બજારની દુકાનો બંધ રહેશે.

By

Published : Jul 7, 2020, 6:05 PM IST

લુણાવાડા
લુણાવાડા

મહીસાગરઃ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કહેર વધી રહ્યો છે, અને જિલ્લામાં આજદિન સુધી 173 કેસ નોંધાઈ ચુક્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધતા સોની વેપારીઓમાં ચિંતા પ્રસરી છે. કોરાના સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે લુણાવાડા સોની વેપારી એસોસિએશન દ્વારા મંગળવારથી બપોરના 3 કલાક સુધી જ વેપાર ધંધા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને બપોરના 3 કલાક પછી તમામ સોની બજારની દુકાનો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

બપોરના 3 કલાક બાદ જ્વેલર્સ શોપ બંદ રહેશે

મહીસાગર કોરોના અપડેટ

  • સક્રિય કેસ - 34
  • કોરોના પરિક્ષણ - 5590
  • સ્વસ્થ થયેલા દર્દી - 118
  • ક્વોરેન્ટાઈન હેઠળ લોકો - 3295
  • મૃત્યુ - 2
    લુણાવાડામાં બપોરના 3 કલાક બાદ જ્વેલર્સ શોપ બંદ રહેશે

સમગ્ર શહેરમાં રવિવારે સવારે 8 કલાકથી બપોરે 3 કલાક સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને બપોરના 3 કલાક બાદ તમામ જવેલર્સની દુકાનો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને કારણે લોકહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details