ગુજરાત

gujarat

By

Published : Jul 6, 2020, 2:55 AM IST

ETV Bharat / state

બાલાસિનોર કોવિડ હોસ્પિટલમાંથી કોરોના દર્દી ફરાર, આરોગ્ય વિભાગમાં દોડધામ

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાંથી રવિવારે કોરોનાનો દર્દી ફરાર થયો હતો. જેથી તંત્રમાં દોડધામ મચી છે.

ETV BHARAT
બાલાસિનોર કોવિડ હોસ્પિટલમાંથી કોરોના દર્દી ફરાર, આરોગ્ય વિભાગમાં દોડધામ

મહીસાગર: જિલ્લાના બાલાસિનોરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર આપવામાં આવે છે. જેથી સંતરામપુરના હળવા ગામનો એક કોરોના પોઝિટિવ દર્દી બાલાસિનોર કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો, પરંતુ રવિવારે કોવિડ હોસ્પિટલ ખાતેથી આ દર્દી ફરાર થયો હતો. જેથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.

બાલાસિનોર કોવિડ હોસ્પિટલમાંથી કોરોના દર્દી ફરાર, આરોગ્ય વિભાગમાં દોડધામ

કોવિડ હોસ્પિટલ પરિસરમાં સિક્યુરિટીનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં દર્દી ફરાર છે. જેથી તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

ABOUT THE AUTHOR

...view details