બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતી મામલે સંતરામપુર શહેર કોંગ્રેસ સમિતિએ આવેદન પાઠવ્યું - કોંગ્રેસ
મહીસાગર: સંતરામપુર શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતીને લઇને યોગ્ય તપાસ કરવા અંગેનુ આવેદનપત્ર પાઠવ્યું હતું.

જિલ્લાના સંતરામપુરમાં કોંગ્રેસ સમિતિએ બિનસચિવાલયની પરીક્ષામાં રાજ્યના અમુક જિલ્લાઓમાં થયેલી ગેરરીતીને લઇને યોગ્ય તપાસ કરી કરવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બાબતને લઇને કોંગ્રેસ સમિતિએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે આ બાબતની સરકાર કોઇ પણ પ્રકારની ગંભીર નોંધ લેતી નથી. આ ગેરરીતી થઇ છે જેની માહિતી સોશિયલ મીડિયામાંથી મળી હતી. જેમાં ભાવનગર, સોમનાથ, સુરેન્દ્રનગર અને સંતરામપુરમાં ગેરરીતી આચરવામાં આવી છે. આ તમામ જગ્યાએ ગેરરીતી ભવિષ્યમાં ન થાય અને આ અંગેની તપાસ CID કરે તેવી સંતરામપુર કોંગ્રેસ સમિતિએ માગ કરી અને આવેદનપત્ર પાઠવ્યું છે.