ગુજરાત

gujarat

મહીસાગરમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Aug 16, 2020, 3:59 AM IST

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારના રોજ જિલ્લામાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં લુણાવાડામાં 2 અને સંતરામપુરમાં 2 કેસ સામેલ છે. નવા નોંધાયેલા 4 પોઝિટિવ કેસના કારણે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 545 થઈ છે.

ETV BHARAT
મહીસાગરમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા

મહીસાગર: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારના રોજ જિલ્લામાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અત્યાર સુધી જિલ્લામાં 423 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી હાલ જિલ્લામાં 90 દર્દીઓ એક્ટિવ છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી કુલ 32 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી જિલ્લામાં 516 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

મહીસાગર જિલ્લામાં કોરોનાના 15 દર્દીઓને કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 14 દર્દીઓ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ-લુણાવાડા, 29 દર્દી હોમ આઈસોલેશન, 10 દર્દી શીતલ નર્સિંગ હોમ- લુણાવાડા, 9 દર્દીઓ એસ.ડી.એચ. સંતરામપુર તેમજ અન્ય 12 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ 87 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે 2 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details