કચ્છ: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓને સ્વરોજગારી પુરી પાડવા માટે વાજપાઈ બેંકેબલ યોજના અમલમાં મુકવામાં આવી છે. કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ અર્થે ચાલુ થયેલ આ યોજના થકી કચ્છ જિલ્લામાં વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ 1223 લાભાર્થીએ લીધો છે અને કુલ 9.71 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
રાજ્યમાં જનતાને લાભ મળી રહે તે અર્થે વિવિધ યોજનાઓ ચાલે છે -જેમાં ભારત સરકારની યોજનાઓ તથા ગુજરાત સરકારની યોજનાઓ સંયુક્ત રીતે અમલીકૃત થયેલી છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાલક્ષી, સ્વરોજગારલક્ષી, વિકલાંગ કલ્યાણ સહિતની યોજનાઓ ચાલે છે. આ ઉપરાંત સમાજકલ્યાણ, સમાજસુરક્ષા દ્વારા પણ સુરક્ષાઓની યોજનાઓ પણ નાગરીકોના હિત માટે કાર્યરત છે. ગુજરાત સરકારના કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે.
વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 9.71 કરોડની સહાય ચુકવવામાં આવી - શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનાશિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓને સ્વરોજગારી પુરી પાડવા માટે વાજપાઈ બેંકેબલ યોજના અમલમાં મુકવામાં આવી છે. કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરવાની સાથે યુવાનો શ્વાવલંબી બને તે માટે(Young people become self-made) આ યોજના મહત્વરૂપ સાબિત થઈ રહી છે. કચ્છ જિલ્લામાં 2020-21 દરમિયાન વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 9.71 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ યોજના સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના કાળમાં અનેક યોજનાઓ અમલમાં મુકી હતી. જેમાં MESME યોજનાનો(MESME scheme) પણ કચ્છના નાના અને મધ્યવર્ગિય ઉદ્યોગઓએ(Middle class industries) લાભ લીધો હતો.
20 ટકાથી લઈને 40 ટકા સુધીની સહાય મળવાપાત્ર - કચ્છ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી(Industry Center Officer) K P ડેરે માહિતી આપતા જણાવ્યું કે, સ્વરોજગાર માટેની વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા, વેપાર શરૂ કરવા અથવા ધંધાનો વ્યાપ વધારવા માટે મહત્તમ રૂપિયા 8 લાખની લોન ધીરાણ કરવા માટે બેંકને ભલામણ કરવામાં આવે છે. જે મંજૂર થયેથી 20 ટકાથી લઈને 40 ટકા સુધીની સહાય મળવાપાત્ર રહે છે. ઉદ્યોગ માટે મહત્તમ રૂપિયા 1,25,000, સેવા માટે મહત્તમ રૂપિયા 1 લાખ તથા વેપાર માટે મહત્તમ રૂપિયા 80,000ની સહાય મળવાપાત્ર રહેશે.
389 નવા એકમોને મંજૂરી આપી બેંકમાં ભલામણ કરવામાં આવી - આ યોજના હેઠળ વર્ષ 2020-21 દરમ્યાન 1223 સ્વરોજગારી કરતા લાભાર્થીઓને કુલ રૂપિયા 9.71 કરોડની સહાય ચુકવવામાં આવેલ અને કુલ્લ 389 નવા એકમોને મંજૂરી આપી બેંકમાં ભલામણ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં ગુજરાત ઔદ્યોગિક નીતિના અમલીકરણના લીધે MESME સેકટરમાં ચાઈનાકલે તથા બેન્ટોનાઈટ પ્રોસેસ પ્લાન્ટ, ટિમ્બર ઉદ્યોગ, પ્લાય ઉદ્યોગ, પેકેજીંગ ઉદ્યોગ વગેરે ક્ષેત્રે નવા રોકાણ થાય છે.