ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ઉનાળામાં પાણીની તંગી નહી સર્જાય

કચ્છમાં કુલ-490 MLD (મિલિયન ઓફ લિટર પર ડે)ની જરૂરિયાત માળિયાના નર્મદાના પાણી અને ટપ્પર ડેમના પાણી દ્વારા હાલમાં જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે. નર્મદાના વધારાના પાણીની આ ઉનાળામાં જરૂર પડશે નહી અને કોઈ પણ જાતની સમસ્યા સર્જાશે નહી.

By

Published : Mar 23, 2021, 7:26 PM IST

"નળ સે જલ" યોજના અંતર્ગત-2022 સુધીમાં છેવાડાના દરેકને વ્યક્તિદીઠ-100 લિટર મળશે પાણી
"નળ સે જલ" યોજના અંતર્ગત-2022 સુધીમાં છેવાડાના દરેકને વ્યક્તિદીઠ-100 લિટર મળશે પાણી

  • ટપ્પર ડેમથી અંજાર સુધીની પાણીની પાઈપલાઈનનું કામ પૂર્ણ
  • કચ્છને આ ઉનાળામાં વધારાના પીવાના પાણીની જરૂર રહેશે નહી
  • "નળ સે જલ" યોજના અંતર્ગત-2022 સુધીમાં છેવાડાના દરેકને વ્યક્તિદીઠ-100 લિટર મળશે પાણી
  • ઇન્ડસ્ટ્રીઝને 35-40 MLD પાણી અપાય છે

કચ્છ: જિલ્લામાં કુલ-874 ગામો આવેલા છે અને 20 લાખ જેટલા ઢોરોની સંખ્યા છે. કચ્છની ઇન્ડસ્ટ્રીને પણ લિમિટેડ પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીની 80 MLDની જરૂરિયાત હોય છે અને ઢોરોને પણ 80 MLD પાણી જેટલી જરૂરિયાત હોય છે. કુલ મળીને કચ્છમાં 490 MLDની જરૂરિયાત છે. જેમાંથી ઇન્ડસ્ટ્રીઝને 35-40 MLD પાણી આપવામાં આવે છે.

આ પણ વાંચો:ભુજની દૈનિક 50 MLD પાણીની જરૂરિયાત સામે 15 MLDની ઘટ

ટપ્પર ડેમના 4 પંપોમાંથી 2 પંપો મારફતે પાણી મેળવવામાં આવી રહ્યું છે

માળીયાથી નર્મદાનું 220થી 230 MLD પાણી મળી રહે છે અને ટપ્પર ડેમમાંથી 120 MLD પાણી મળી રહે છે. ટપ્પર ડેમથી અંજાર સુધીની પાણીની પાઈપલાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને 4 પંપો માંથી 2 પંપો દ્વારા પાણી મેળવવામાં આવી રહ્યું છે.

પાણીની તંગી નહી સર્જાય

આ પણ વાંચો:દહેજમાં 1100 કરોડના ખર્ચે નિર્માણ થનાર 100 MLD પ્લાન્ટનું CM રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત

ટપ્પર ડેમમાંથી સૌથી વધુ પાણીનો જથ્થો મળી રહે છે

490 MLDની જરૂરિયાત છે. જેના સામે 360 MLD પાણી માળીયાના નર્મદા અને ટપ્પર ડેમના પાણી દ્વારા મળી રહે છે, જ્યારે 100 MLD જેટલું પાણી લોકલ સોર્સ અને ડેમોમાંથી મળી રહે છે.

કચ્છને આ ઉનાળામાં વધારાના પીવાના પાણીની જરૂરિયાત રહેશે નહી

ટપ્પર ડેમની 150 MLDની ક્ષમતા છે અને કચ્છને આ ઉનાળામાં વધારાના પીવાના પાણીની જરૂર નહી પડે. ઉનાળામાં 15 કરોડ લિટર પાણીની લાઈન શરૂ થવાથી નર્મદાના વધારાના પાણીની જરૂર નહી રહે અને કોઈ પણ જાતની પાણીની સમસ્યા ઊભી થશે નહી.

ભવિષ્યની યોજનાઓ

3 વર્ષ રહીને 100 MLDનો પ્લાન્ટ ગુંદિયાળી પાસે થઈ જશે. જેથી કોઈ પણ પ્રકારની પાણીની સમસ્યા સર્જાશે નહી.આ ઉપરાંત "નળ સે જલ" યોજના અંતર્ગત-2022 સુધીમાં છેવાડાના દરેકના ઘેર-ઘેર વ્યક્તિદીઠ 100 લિટર પાણી મળશે.

ABOUT THE AUTHOR

...view details