ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં સત્તાધીશોના કારણે માનસિક અસ્થિર દર્દીઓની શારીરિક તકલીફોમાં વધારો

કચ્છ: સમગ્ર દેશમાં સફાઇ અને સ્વચ્છતા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ભુજમાં બે સરકારી સંસ્થાઓ આમને સામને છે. કચ્છ જિલ્લાના એકમાત્ર સરકારી મેન્ટલ હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષથી દર્દીઓ ગંદકીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ નગરપાલિકાના સત્તાધીશો દરવખતની જેમ જૂના અને જાણીતા પોકળ દાવા આરોગી રહ્યા છે.

By

Published : Dec 7, 2019, 9:41 AM IST

the-sin-of-the-authorities-in-kutch-increased-the-physical-distress-of-mentally-unstable-patients
કચ્છમાં સત્તાધીશોના પાપે માનસિક અસ્થિર દર્દીઓની શારીરિક તકલીફોમાં વધારો થયો

કચ્છની એકમાત્ર મેન્ટલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવનાર દર્દીઓને માનસિક સાથે શારીરિક તકલીફો પણ થઇ રહી છે. જેનું મુખ્ય કારણ હોસ્પિટલના ગેટ પરની ગંદકી છે. ગત દસ વર્ષથી હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે ઉકરડો બની ગયો છે. ઉપરાંત આસપાસના રહેવાસી પણ આ સમસ્યાથી ત્રસ્ત થયા છે.

હોસ્પિટલના મુખ્ય તબીબ ડૉ.મહેશ ટીલવાણીએ આ અંગે જણાવ્યું કે, સમગ્ર વિસ્તારમાં ડોર ટૂ ડોર સેવા બંધ છે, જેથી લોકો માર્ગ પર કચરો ઠાલવે છે. નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

કચ્છમાં સત્તાધીશોના પાપે માનસિક અસ્થિર દર્દીઓની શારીરિક તકલીફોમાં વધારો થયો

આ અંગે નગરપાલિકાના સત્તાધીશોએ જૂના અને જાણીતા પોકળ દવા આરોગ્યા હતા કે, કચરાની ફરિયાદ બાદ સમયાંતરે સફાઈ કરીને દવાનો છંટકાવ કરવામાં આવે છે. પરંતુ ગીચ વિસ્તાર હોવાથી લોકો ત્યાં જ કચરો ફેંકી જાય છે.

ABOUT THE AUTHOR

...view details