લખપતમાં ગુરૂનાનકના પ્રકાશ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વમાં કીર્તન દરબારમાં શીખ ધર્મની સર્વોચ્ચ સંસ્થા અકાલ તખ્ત અમૃતસરથી ભક્તોને સંદેશ આપવા સિંઘ સાહેબ જ્ઞાની હર પ્રીતસિંહજી પધાર્યા હતા. આ સાથે સુવર્ણ મંદિર અમૃતસરના હજૂરી રાગીભાઈ રામસિંહજી મનોહર કીર્તનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
કચ્છ: લખપતના ગુરુદ્વારામાં ગુરુનાનકના 550માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઇ - gurudwara
કચ્છ: જિલ્લાના લખપતમાં ગુરુનાનક દેવજીએ સત્સંગ કર્યો હતો. જેને લઇને ઈતિહાસિક ગુરુદ્વારામાં ગુરુનાનકના 550મા પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
![કચ્છ: લખપતના ગુરુદ્વારામાં ગુરુનાનકના 550માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઇ ગુરુદ્વારામાં 550માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5499699-thumbnail-3x2-ktc.jpg)
સમગ્ર ત્રિદિવસીય ઉજવણીમાં પ્રથમ દિવસે અખંડ પાઠ, બીજા દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. લખપત તાલુકાની 23 સંસ્થાઓ અને સર્વ ધર્મના લોકો રક્તદાન મહાદાન યજ્ઞમાં જોડાયા હતા. આ યજ્ઞમાં 5000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેેવા કાર્યમાં 550 રક્ત બોટલનું લક્ષ્ય પૂર્ણ થયું હતું. મહત્વનુંએ છે કે, BSFના જવાનો, પોલીસ સ્ટાફ પણ રક્તદાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુરુદ્વારા કમિટીના પ્રમુખ રાજુભાઈ સરદાર, જયંત નંદા મહેન્દ્રસિંગ, સોદાગર સિંગ જાગ, તારસીંગ જશપાલ સીંઘ વગેરેએ ખાસ જહેમત ઉઠાવી હતી.