ગુજરાત

gujarat

ETV Bharat / state

'કયાર' વાવાઝોડાની શકયતાને પગલે કંડલા પોર્ટ પર બે નંબરની સિગ્નલ - 300 km from Maharashtra 'Kyaar' thunderstorm active in distant seas

કચ્છ: મહારાષ્ટ્રથી 300 કિ. મી દુર દરિયામાં 'કયાર' વાવાઝોડું સક્રિય થવાને પગલે સાવચેતી આંરભી દેવામાં આવી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા ઉપરાંત કચ્છ બંદરો પર સુરક્ષા અને અગમચેતી માટે બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

etv bharat

By

Published : Oct 25, 2019, 7:54 PM IST

કંડલા પોર્ટની વૈધશાળાના જણાવ્યાં પ્રમાણે હાલે બંદર પર અગમચેતી માટે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જો કે, હજુ કંઈ પણ કહેવું વહેલું છે. વાવાઝોડાની સક્રિયતા પર નજર રખાઈ રહી છે. સમયાંતરે આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શન મળશે તે મુજબ કાર્યવાહી કરાશે.

આ દરમિયાન વૈધશાળાના સુત્રોના જણાવ્યાં અનુસાર મહારાષ્ટ્રથી 300 કિ.મી. દુર 'કયાર' વાવાઝોડું હજુ મજબુત થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં તેની શકિત અને દિશા સ્પષ્ટ થઇ જશે. હાલ વૈધશાાળાઓ તેના પર સતત નજર રાખી રહી છે. શકયતા મુજબ દક્ષિણ પચ્છિમ દિશાથી આ વાવાઝોડું નોર્થ તરફ ફંટાઈને ઓમાન તરફ જતું રહે તેવી શકયતા છે. જો કે, હાલે કંઈ પણ અનુમાન લગાવવું વહેલું છે.

ABOUT THE AUTHOR

...view details